સુરત: બાળકોની આંખની સામે જ માતાએ ગળેફાંસો ખાઇ ટૂંકાવ્યું જીવન – જાણો ચોકાવનારું કારણ

ગુજરાતમાંથી અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં રહેતા પરણિતા એ પોતાનાં બે બાળકો ની આંખની સામે આપઘાત કરી લેવાનો બનાવ સામે આવ્યો છે જોકે પરણિતા એ આપઘાત અગાઉ લખતેલી સુસાઈટ નોટમાં પોતે જ આપઘાત માટે જવાબદાર હોવા અંગેની વાત બહાર આવી ત્યારે પિયરએ સાસરી વાળા ત્રાસ આપતાં હોવાનો આરોપ લગાવ્યો છે જોકે પોલીસ દ્વારા આ બાબતે ગુનો નોંધી વધારે તપાસ ચાલુ કરવામાં આવી છે.

સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં રહેતી પરણિતાએ તેનાં બે બાળકોની આંખની સામે જ રૂમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેવાનો બનાવ બહાર આવ્યો છે. 32 વર્ષનો રીનાબેન ઉજ્જવલ સાવલિયાએ લખેલી એક સુસાઈટ નોટ પણ મળી હતી. સુસાઈટ નોટમાં તેમણે લખ્યુ છે કે, આપઘાત માટે હું પોતે જ જવાબદાર છું. જ્યારે બીજી બાજુ પિયરપક્ષ આરોપ કરતાં જણાવે છે કે, રીનાને તેનાં સાસરિયાઓ ત્રાસ આપતાં હતાં. પોલીસ દ્વારા આ વિશે ગુનો નોંધીને વધારે તપાસ ચાલુ કરી છે.

મૂળ અમરેલીનાં રહેવાસી તેમજ અત્યારે સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં આવેલી શેરડી ધામ સોસાયટીમાં રહેતાં ઉજ્જવલ સાવલિયા જમીન દલાલીનો ધંધો કરે છે. જોકે ગઈ કાલે તેમની પત્નીએ મકાનનાં ત્રીજા માળે તેનાં બે બાળકો સાથે ગઈ હતી. પોતાની રૂમમાં પાંચ વર્ષનો પુત્ર તેમજ એક વર્ષની પુત્રી સામે ગળે ફાંસો ખાઈ લીધો હતો. મોડી સાંજ સુધી તે રૂમમાંથી આમાંથી એકય લોકો બહાર નહિ આવતાં પરિવારે દરવાજો તોડી નાખ્યો હતો.

પરિણીતા લટકેલી હાલતમાં મળી આવી હતી. એ પછી પરિવારનાં સભ્યોએ તરત નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં ડોક્ટર દ્વારા તેમને મુત જાહેર કરવામાં આવી હતી. બનાવની જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પોંહચીને તપાસ ચાલુ કરી હતી. જોકે, તપાસમાં પોલીસને એક ચિઠ્ઠી પણ મળી હતી. એ ચિઠ્ઠીમાં રીનાબેનએ પોતાનાં આપઘાત માટે પોતાના જવાબદાર જણાવ્યા છે તેમજ પરિવાર જવાબદાર નથી તેવી સ્પષ્ટતા કરી હતી.

આ વિશે રિયાબેનનાં પિયરવાળાએ આરોપ લગાવ્યા હતા કે, તેનાં સાસરિયાવાળાએ રિનાને માનસિક ત્રાસ આપતા હતા અને અમને એવું લાગે છે કે, જેના લીધે રીનાએ આ પગલું ભર્યું છે. રીનાબેનનાં લગ્નને 8 વર્ષ થયાં છે. તપાસમાં હકીકત જાણવા મળશે. આ વિશે વરાછા પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને વધારે તપાસ ચાલુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *