સુશાંતસિંહ રાજપૂતે પહેલા એક નહિ બે-બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા થયા બાદ ચારેકોર તેમની મૃત્યુની જ ચર્ચા ચાલી રહી છે. સુશાંતસિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ…

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા થયા બાદ ચારેકોર તેમની મૃત્યુની જ ચર્ચા ચાલી રહી છે. સુશાંતસિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ પોલીસે હાથ ધરેલી તપાસમાં ઘણી નવી બાબતો સામે આવી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે રૂમમાં સુશાંતસિંહ રાજપૂતે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો તે રૂમમાં બાથરોબ (નાહ્યા પછી પહેરવાનાં સાદા કપડાં)ના ટૂકડા પડેલાં હતા. હવે પોલીસને આશંકા છે કે સુશાંતે પંખે લટક્યા પહેલાં પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે પરંતુ તે સફળ થઈ શક્યો નહીં હોય. પોલીસને એવી પણ શંકા છે કે સુશાંતે પહેલાં બાથરૂમમાં તેના બાથરોબનો ફંદો બનાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બથરોબ તૂટી ગયું હશે. આ રીતે સુશાંત પ્રથમ વખત આત્મહત્યા કરવામાં સફળ થઈ શક્યો નહીં.

સુશાંતસિંહના કબાટમાં કપડા પણ વેર વિખેર હાલતમાં જોવા મળ્યા હતા. જેના કારણે પોલીસને આશંકા છે કે બાથરોબ તૂટી ગયા બાદ તેણે લીલા રંગના કુર્તા વડે ફંદો બનાવીને મોતને ગળે લગાવી લીધું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસ સુશાંતના ઘરે પહોંચી ત્યારે તેની બહેન અને રૂમમાં હાજર લોકોએ તે લીલો કુર્તા કાપીને સુશાંતનો મૃતદેહ નીચે ઉતારી લીધો હતો.

હાલમાં પોલીસે આ કુર્તો ફોરેન્સિક લેબમાં તપાસ માટે આપ્યો છે. હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ કુર્તો કોઈ એક વ્યક્તિનો વજન ઉઠાવવામાં સક્ષમ છે કે નહીં? સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી એ ઘટનાને આટલા દિવસ વીત્યા બાદ પણ લોકોમાં સુશાંતસિંહ રાજપૂત લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *