વાડીએ ગયેલા 16 વર્ષના દીકરાનું શંકાસ્પદ મોત થતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર- ‘ઓમ શાંતિ’

જુનાગઢ(Junagadh): કેશોદ(Keshod)ના બાલાગામ (Balagam) ગામે એક 16 વર્ષના સગીર તેમના જ ગામના એક યુવક સાથે વાડીએ ગયો હતો. વાડીએ સગીર સાથે કોઈ અઘટિત ઘટના બનતાં તેનું કરુણ મોત નિપજયું હતું. સગીરના પરીવાર દ્વારા આકસ્મિક મોતની ઘટના પર આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, બાલાગામ ખાતે રહેતાં લખમણભાઈ રામજીભાઇ પરમાર નો 16 વર્ષીય પુત્ર તેના જ ગામના અંકિત નામના યુવકની સાથે વાડીએ ગયો હતો. આ દરમિયાન સગીર સાથે કોઈ અઘટિત ઘટના બનતાં યુવક દ્વારા તેને સારવાર અર્થે સીધો માણાવદર લઈ જવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, પાછળથી સગીરનો પરીવાર માણાવદર ખાતે પહોંચતાં ડોક્ટર દ્વારા મોત થયાનું જણાવવામાં આવ્યું હતું. જયારે પોલીસ દ્વારા આ ઘટના કેશોદ પોલીસ સ્ટેશન હદની હોય ત્યાં લઈ જવા ,અતે જણાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આથી સગીરના પરિવારે કેશોદ પહોંચી પોલીસને પોતાના બાળક સાથે કાંઈ અઘટિત બનતા પોતાની જાણ વગર યુવક તેની અન્ય તાલુકામાં સારવાર અર્થે લઈ ગયો હોય મોત અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને આક્રોશ પૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. કેશોદ પોલીસ દ્વારા સગીરના પોસ્ટમોર્ટમ સહિત ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 16 વર્ષના દીકરાનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *