નરેશ પટેલ ટૂંક જ સમયમાં કરશે રાજકારણમાં પ્રવેશ- આ પાર્ટીમાં જોડાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ

ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham) ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)ને રાજકારણમાં જોડાવવા અંગેના મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ટૂંક જ સમયમાં રાજકારણમાં પ્રવેશ કરે તેવી પ્રબળ શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલના નિવેદન પછી તેઓની રાજકારણ(Politics)માં પ્રવેશવાની શક્યતાઓ પ્રબળ બની ગઈ છે. તેમણે સમાજની લાગણી હશે તો રાજનીતિ મુદ્દે નિર્ણય લેવાનું નિવેદન આપવામાં આવ્યું હતું.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નરેશ પટેલના આ નિવેદન પછી તેમને રાજકીય પ્રવેશ માટે તખ્તો ઘડાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખોડલધામ પાટોત્સવ પૂર્ણ થયા બાદ નરેશ પટેલ સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે. આ સાથે નરેશ પટેલ માટે 2022નું વર્ષ રાજકીય દ્રષ્ટીએ અત્યંત મહત્વનું રહેશે. જો કે, તેઓ ક્યા પક્ષમાં જોડાશે તેને લઇને હજુ કોઈ ખુલાસો થયો નથી.

જણાવી દઈએ કે, નરેશ પટેલ આ પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ પટેલે આ સાથે ઘણા રાજકીય પક્ષોના આગેવાનો સાથે પણ ગુપ્ત બેઠકો કરી હોવાનું માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય પક્ષ સાથે જોડાવા નરેશ પટેલ દ્વારા કેટલીક શરતો પણ મુકવામાં આવી છે. જે પક્ષ તેઓની શરતો માન્ય રાખે તે પક્ષ સાથે આગામી સમયમાં જોડાઇ શકે છે.

વધતા કોરોના વચ્ચે પાટીદારોના ખોડલધામ મંદિરનો પાટોત્સવ થશે કે નહીં થાય, તે અંગે મોટી અટકળો ચાલી રહી છે. ત્યારે હાલના સમયમાં આ સવાલો ઉપરથી પડદો ઊચકાયો છે. ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવતાં કહ્યું હતું કે, ખોડલધામ મંદિરનો પાટોત્સવ થશે. દરેક શ્રદ્ધાળુઓ પાટોત્સવનો લાભ ઓનલાઇનના માધ્યમ દ્વારા લઇ શકશે.

ઓનલાઇનના માધ્યમથી, દેશ-વિદેશથી ખોડલધામ પાટોત્સવના દર્શન કરી શકશે. તમને જણાવી દઈએ કે આવનારી 21 જાન્યુઆરીના રોજ લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધર્મસ્થાન એવા કાગવડના ખોડલધામ મંદિરના પાંચ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ત્યારે તેમના પાટોત્સવની લોકો રાહ જોઈ રહ્યા હતા. ૨૧ જાન્યુઆરીના રોજ, દરેક શ્રદ્ધાળુઓ ઓનલાઇન પટના માધ્યમ દ્વારા આ પાટોત્સવ લાઈવ નિહાળી શકશે.

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ ગુજરાતમાં કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છે ત્યારે, ખોડલધામ સમિતિ મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી એવી અટકળો ચાલી રહી હતી કે, કોરોના વચ્ચે મંદિરનો ભવ્ય પાટોત્સવ કેવી રીતે કરવો? પરંતુ હાલ સ્પષ્ટ થઈ ગયું છે કે, મંદિરનો પાટોત્સવ થશે, અને શ્રદ્ધાળુ ઓનલાઇન લાભ લઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *