સુરત :2 દિવસ પેહલા તાપીમાં પડેલ બિલ્ડરની લાશ આજે મળી આવી.

ફાયરબ્રિગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ નાના વરાછાના ચીકુવાડી પાસે સ્નેહ સ્મૃતિ સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય બિલ્ડર શૈલેષભાઇ પ્રેમજીભાઇ વઘાસીયા ગુરૃવારે સવારે સવજી કોરાટ બ્રીજ…

ફાયરબ્રિગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ નાના વરાછાના ચીકુવાડી પાસે સ્નેહ સ્મૃતિ સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય બિલ્ડર શૈલેષભાઇ પ્રેમજીભાઇ વઘાસીયા ગુરૃવારે સવારે સવજી કોરાટ બ્રીજ પરથી નદીમાં કુદી પડયા હતા.

બે બોટમા ૮ ફાયરજવાનોએ  તેમની ૧૨ કલાક સુધી શોધખોળ કરવા છતા ભાળ મળી ન હતી. આજે સવારે સાડા છ વાગ્યે ફાયરઓફિસર ઇશ્વરભાઇ પટેલ તથા ફાયરજવાનો ત્યાં પહોંચી ગયા હતા.  ૩ ફાયર ઓફિસર તથા ૧૫ ફાયરજવાનોએ ચાર બોટમાં ફરી શોધખોળ આદરી. ઓકસીજન બોટલ  પહેરીને પાણીની અંદર પણ ગયા હતા. સવજી કોરાટ બ્રીજથી અશ્વની કુમાર સુધી ૪ કિલો મીટર અંતર નદીમાં સતત ૧૨ કલાક સુધી શોધખોળ કરી હતી. તેમછંતા મોડી સાંજે અંધારુ થયા સુધીમાં ભાળ ન હતી. અંધારૂ વધી જતા ફાયરજવાનોએ બહાર આવવુ પડયુ હતુ.

શનિવારે સવારે લાશ મળી.

પરંતુ આજે સવારે ૭:૩૦ થી ૭:૪૫ વાગ્યા વચ્ચે કોસાડની બોટ ને લાશ નજરે ચડી હતી,ત્યારબાદ તે લાશનો કબજો પોલીસ ને આપી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *