ઉધના રોડ નંબર 3 પર કારખાનામાંથી કારીગરનો મૃતદેહ મળ્યો, હત્યાની થઈ હોવાની આશંકા

ઉધનામાં રોડ નંબર ત્રણ પર આવેલા એક કારખાના માંથી મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકની હત્યા કરાઈ હોવાની આશંકાના પગલે ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃત્યુનું કારણ જાણવા પોલીસે મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.

મળતી માહિતી મુજર મારનાર યુવક મુક-બધીર હતો.ઉધના ખાતે આવેલા રોડ નંબર 3 ધરતી નમકીન પાસે શાહ એન્ટરપ્રાઈઝ અને રિષિત એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાંથી મૂકબધિર ગુલામ આદમ પટેલ (ઉ.વ.આ.50) રહે. મીયાંગામ ,પાલેજનો મૃતદેહ મળી આવ્યો હતો. મોઢામાંથી વધુ પડતું લોહી વહી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે. હાલ ઉધના પોલીસે હત્યાની શંકા સેવીને વધુ તપાસ હાથધરી છે. મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાંઆવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *