સુરતના હજીરામાં ઘરમાંથી મૃતદેહ મળી આવતા મચ્યો ચકચાર

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરતમાંથી એક ચકચાર મચાવતો હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના દરિયા કિનારાના વિસ્તારમાં આવેલા હજીરાના દામકા ગામમાં મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ ઘરમાંથી મળી…

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરતમાંથી એક ચકચાર મચાવતો હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના દરિયા કિનારાના વિસ્તારમાં આવેલા હજીરાના દામકા ગામમાં મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ ઘરમાંથી મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, રાત્રિ દરમિયાન પેટના ભાગે ઘા મારી વૃદ્ધ મહિલાની હત્યા કરાવામાં આવી છે.

જોકે, બીજી બાજુ માતા-પુત્રનો ઝગડો હત્યાનું કારણ હોય શકે એવી પણ આશંકાઓ કરવામાં આવી રહી છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જણાવા મળ્યું હતું કે, મૃતકનું નામ ગીતાબેન જોશી છે. તેમની ઉંમર લગભગ 51 વર્ષની આસપાસની છે. ઉપરાંત, ગીતાબેનને એક પુત્ર છે અને એ કર્મકાંડ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો આવ્યો હોવાનું સામે મળ્યું છે. વહેલી સવારે ગીતાબેન એમના જ ઘરમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, હત્યાનો ભોગ બનેલા ગીતા બેન ઘર કામ કરતાં હતાં. તેમનો પુત્ર સાથે ઝઘડો ચાલતો હતો. જોકે, હજી સુધી હત્યારા કે હત્યાના કારણ વિશે કઈ જાણી શકાયું નથી. પરંતુ, પેટમાં ઘા મારી ગીતાબેનની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *