માં મારો તો શું વાંક?: હજુ તો નવજાત બાળકીની આંખો પણ નહોતી ખુલી ત્યાં નિષ્ઠુર માતાએ હોસ્પિટલ પાસે ત્યજી દીધી

બિકાનેર: થોડા કલાકો પહેલા જન્મેલા નવજાતને તેના માતા-પિતાએ પીબીએમ હોસ્પિટલ સામેના મુખ્ય રસ્તા પર ફેંકી દેવામાં આવ્યું હોવાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. કાપડમાં લપેટેલી આ દીકરીને કીડીઓ કરડતી હોવાથી તેની બૂમો સાંભળીને પડોશમાં રહેતી એક મહિલા આવી હતી. ત્યારબાદ તેણે પીબીએમ હોસ્પિટલમાં કામ કરતા તેના પરિચિતને ફોન કર્યો અને તેને બાળ હોસ્પિટલની નર્સરીમાં લઈ જવામાં આવી હતી.

પીબીએમ હોસ્પિટલમાં સામાજિક કાર્ય કરતા રમેશ વ્યાસે જણાવ્યું હતું કે, શનિવારે સાંજે કોઈએ નવજાત બાળકીને પીબીએમ હોસ્પિટલના અધિક્ષક ડો.પરમેન્દ્ર સિરોહીના જૂના નિવાસસ્થાન પાસે છોડી દીધી હતી. બાળકીનો જન્મ થોડા કલાકો પહેલા જ થયો હતો. જો મહિલા સમયસર ન પહોચી હોત તો રખડતા કૂતરાઓ તેને ખાઈ પણ ગયા હોત. વ્યાસે જણાવ્યું કે, જ્યારે દીકરીને ત્યાંથી ઉપાડવામાં આવી ત્યારે ઘણા કૂતરાઓ ત્યાં આસપાસ રખડતા હતા. તેના શરીર પર કીડીઓ કરડવાના નિશાન પણ હતા.

પીબીએમ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ડો. સુશીલ કુમાર, હરિકિશન રાજપુરોહિત અને સંદીપે મળીને આ બાળકીને બાળ હોસ્પિટલમાં દાખલ કરાવી. હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે. આ બાળકીનો જન્મ શનિવારે જ થયો હતો. જો તેનો જન્મ પીબીએમ હોસ્પિટલમાં થયો હોત, તો શરીર ટેગ લગાવવામાં આવ્યું હોત.

ડોક્ટરોના જણાવ્યા મુજબ, નવજાતને કાં તો ઘરેથી લાવવામાં આવી છે અથવા ખાનગી નર્સિંગ હોમમાંથી અહીં છોડી દેવામાં આવ્યું છે. સામાન્ય રીતે પોલીસ પણ આવા કિસ્સાઓમાં તપાસ કરતી નથી. એ જાણવાનો પ્રયાસ કરવામાં નથી આવતો કે, બાળકને કોણ છોડીને ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *