મુખ્યમંત્રીની મોટી જાહેરાત: કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને મળશે આટલા રૂપિયાની રોકડ રકમ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની અને મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, કોરોનાને કારણે જે લોકોનું મૃત્યુ થયું હશે તેમના પરિવારજનોને દિલ્હી સરકાર તરફથી 50000 રૂપિયાની રોકડ રકમ આપવામાં આવશે. આર્થિક મદદની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, જે પરિવારમાં લોકોના મોત થયા છે તેમના ઘરે સરકારી કર્મચારી જશે અને આ ધનરાશી તેમના પરિવારજનોને આપવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દરમિયાન બીજી બે મોટી અને મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવતા કહ્યું છે કે જે બાળકોના માતા પિતાના મૃત્યુ કોરોનાને કારણે થયા હશે તેના ૨૫ વર્ષ થવા સુધી દર મહીને અઢી હજાર રૂપિયા દિલ્હી સરકાર તરફથી આપવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનામાં એવા લોકોના પણ મૃત્યુ થયા છે જે પોતાના પરિવારનું કમાઈને ઘર ચલાવતા હતા એવા લોકોને પણ દર મહીને સરકાર તરફથી સહાય રૂપે કેટલીક રકમ આપવામાં આવશે. પરંતુ કેજરીવાલે તે નહોતું કહ્યું કે તે લોકોને કેટલી રકમ આપવામાં આવશે.

કેજરીવાલે જાહેરાત કરતા એ પણ કહ્યું છે કે, જે લોકો કાગળ ચેક કરવા માટે આવશે તે કોઈ ભૂલ કાઢશે નહિ અને હેરાન કરશે નહિ. કારણ કે કોરોનાથી મોતને ભેટેલા વ્યક્તિના પરિવાજનો પહેલેથી જ દુખી છે ત્યારે આવા સમયમાં ખોટી ભૂલ કાઢીને તેમને પરેશાન કરવા યોગ્ય નથી. દિલ્હી સરકાર એ જનતાની સરકાર છે તે લોકોની મદદ માટે છે, નહિ કે જનતાને પરેશાન કરવા માટે. સાથે કેજરીવાલે કહ્યું છે કે, કોરોના મહામારીમાં જે પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે ત્યારે આપણે સૌએ તેમની સાથે ઉભું રહેવાનો સમય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *