આ નરાધમ કળયુગી બાપે પોતાની દીકરી સાથે વર્ષો સુધી કર્યું દુષ્કર્મ- આવી રીતે બહાર આવી વાત

ફરી એકવાર ગુજરાતની ધરા દુષ્કર્મની ચીસ થી ધ્રુજી છે. હવે ઉનામાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના બની છે. પિતાએ જ પોતાની સગી દીકરી પર…

ફરી એકવાર ગુજરાતની ધરા દુષ્કર્મની ચીસ થી ધ્રુજી છે. હવે ઉનામાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના બની છે. પિતાએ જ પોતાની સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પિતાએ સતત ત્રણ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટનાનો ભાંડો ફૂટ્યો ત્યારે ફૂટ્યો જ્યારે પીડિત દીકરીના પેટમાં દુ:ખાવો થતા તેને દવાખાને લઈ જઈ તેની તપાસ કરવામાં આવી.

આ મામલે મળતી માહિતી અનુસાર ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ભાચા ગામમાં રહેતા બધા બાંભણિયા નામના વ્યક્તિની પોતાની સગી દીકરી પર દાનત બગડી હતી. એટલું જ નહીં, દીકરી પર એકલતાનો લાભ લઈ નરાધમ ત્રણ ત્રણ વર્ષથી બળાત્કાર કરતો રહ્યો હતો. દીકરીને ડરાવી ધમકાવીને રાત્રીના સમયે ઘરની અંદર જ નરાધમ પિતા દુષ્કર્મ આચરતો હતો. તેમજ નરાધમ પિતાએ દીકરીને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

હાલ દીકરીની માતાએ નરાધમ બાપ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્રણ વર્ષથી સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચરતો હોવાથી પુત્રીને 7 માસનો ગર્ભ રહી જતા મામલો ઉના પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેથી પોલીસે નરામધ પિતા બધા દુદા બાંભણીયાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.ખરેખર સમજમાં આવી ઘટના બને છે તે ખુબ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *