ભાજપ કોર્પોરેટરના પિતાને વ્યાજવા રૂપિયા લેવાની કિંમત જીવ આપીને ચુકવી- વાંચો સુસાઈડ નોટમાં શું લખ્યું

લોકડાઉનમાં એક બાજુ લોકોને આર્થિક સંકડામણ જેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો બીજી બાજુ વ્યાજખોરોનો આતંક પણ સામે આવી રહ્યો છે. વ્યાજખોરોએ પૈસાની માટે દબાણ કરવાના લીધે લોકોએ આત્મહત્યા કરી હોવાની પણ ઘટનાઓ સામે આવી છે, ત્યારે આ પ્રકારની ઘટના બનાસકાંઠાના ડીસામાં સામે આવી છે.

ભાજપ કોર્પોરેટરના પિતાએ વ્યાજખોરોના ત્રાસને લીધે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાતની અગાઉ કોર્પોરેટરના પિતાએ એક સ્યૂસાઈડ નોટ પણ લખેલ હતીં. હાલમાં સમગ્ર મામલે પોલીસે સ્યૂસાઈડ નોટને કબજે કરીને જવાબદાર લોકોની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ મુજબ બનાસકાંઠામાં આવેલ ડીસામાં રહેતા જેસગ માજીરાણા ચાની લારીને ચલાવી પરિવારનું ભરણ-પોષણ કરતા હતા. જેસગ માજીરાણાનો દીકરો ડીસા વોર્ડ નંબર-1નો ભાજપમાં કોર્પોરેટર પણ છે. જેસગ રાણાએ સંતાનોને ભણાવવા માટે વ્યાજખોરો પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા અને તેઓ સમયસર વ્યાજે લીધેલ પૈસાનું વ્યાજ પણ આપતા હતા પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજમાં જેસગ માજીરાણાને પોતાનું મકાન પણ ગીરવે મૂકવું પડ્યું હતું.

મકાનના કાગળ વ્યાજખોરોની પાસે હોવાથી તેઓએ જેસગ રાણાને મકાન ખાલી કરી આપવાં માટે ધમકીઓ આપી હતી. આવા સમયમાં ધંધા સારા ન હોવાને લીધે જેસગ રાણા આર્થિક સંકડામણ અનુભવતા હતા. તેથી, ભાજપના કોર્પોરેટરના પિતાએ આર્થિક સંકડામણમાં આવીને પોતાનાં ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

ઘટનાની માહિતી પરિવારના સભ્યોને થતા જ પરિવારજનોમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઘટનાની માહિતી  થતા પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરતા સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી અને તેમાં પણ જેસગ રાણાએ વ્યાજખોરોના આંતકને લીધે આપઘાત કર્યો હોવાનું લખેલ હતું. હાલમાં આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. જેસગ રાણાના પુત્રએ પણ જવાબદાર લોકોની સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

જેસગ રાણાએ સ્યૂસાઈડ નોટમાં લખતાં જણાવ્યું હતું કે, ‘આથી સૌને જણાવવાનું કે, મારું મકાન મે 3 લાખ રૂપિયામાં ગીરવે રાખ્યું હતું. મે મકાન વેચવા કાઢ્યું હતું તો પણ મકાન વેચાયું નહીં. હાલમાં વેપાર અને ધંધા સારા નથી. વ્યાજખોરોએ મને ધમકી આપી છે. મારી પાસે રૂપિયા નથી એ માટે હું આવું પગલું ભરું છું. આ મકાનના કાગળ પણ મારી પાસેથી પડાવી લીધા છે, અને મને મકાનનો કબજો આપવા માટે પણ દબાણ કરે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *