ઉન્નાવ દુષ્કર્મ પીડિતના પિતાએ હૈયા વરાળ ઠાલવી- આરોપીઓને દોડાવીને ગોળી મારી દો

ઉન્નાવ દુષ્કર્મ પીડિતની મોત તેનો પરિવાર આઘાતમાં છે. પિતાએ કહ્યું કે, પરિવારને એક પણ રૂપિયો નથી જોઈતો. બસ મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. મોતનો બદલો માત્ર મોત હોવો જોઈએ. આરોપીઓને મોડું કર્યા વગર ફાંસી આપવામાં આવે અથવા તેમને દોડાવીને ગોળી મારી દેવામાં આવે.તેમણે એવું પણ કહ્યું કે, આરોપીઓ તેમના પરિવારને જાહેરમાં મારવાની ધમકી આપતા હતા. ઘણીવાર કહ્યું હતું કે, કેસ પાછો ખેચી લો  નહીં પરિવાર અને દીકરીને જીવતા સળગાવી દેશું. પોલીસને આ વિશે માહિતી આપી હતી. પરંતુ તેઓ દર વખતે વાત ટાળી દેતા હતા. અમારા ધારાસભ્યએ પણ કોઈ મદદ ન કરી.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી

તો આ તરફ  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના વિશે કહ્યું છે કે, આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં થશે. દોષિતોને શક્ય હશે એટલી વહેલી તકે સજા આપવામાં આવશે. સીએમ યોગીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તે સાથે જ કહ્યું છે કે, આ ઘટના ખૂબ દુખદ છે. દરેક આરોપીઓ પકડાઈ ગયા છે. તેમને શક્ય હશે એટલી વહેલી સજા આપવામાં આવશે. આ દરમિયાન દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે કહ્યું છે કે, દરેક આરોપીઓને એક મહિનાની અંદર ફાંસી થવી જોઈએ.

પીડિતનું ગઈ કાલે મોડી રાતે મૃત્યુ થયુ

90 ટકા દાઝી ગયેલી ઉન્નાવની દુષ્કર્મ પીડિતાનું શુક્રવારે રાતે 11.40 વાગે કાર્ડિયાક એટેક પછી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું છે. 5 ડિસેમ્બરની મોડી સાંજે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લાવાવમાં આવી હતી. જામીન પર છુટેલા દુષ્કર્મના આરોપીઓએ ગુરુવાર સવારે તેને સળગાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *