લો બોલો સરકાર ને કોરન્ટાઇન, મહામારી, લોકડાઉનનો અર્થ શું એ જ ખબર નથી- શુ થયો RTI માં ખુલાસો વાંચો

ભારત દેશ ના પ્રત્યેક નાગરિક ને RTI કરવાનો અધિકાર છે. એવી જ રીતે એક જાગૃત નાગરિકે RTIના માધ્યમથી કેન્દ્ર  સરકાર ને પૃચ્છા કરી તો એનો ચોંકાવનારો જવાબ મળ્યો એ જોઈને તમે પણ ચોંકી જ જાશો શુ સરકાર ને આ બાબત પણ ખબર નહીં હોય. એક RTI અંતર્ગત પૂછવામાં આવેલ પ્રશ્નો અને એના જવાબ આ મુજબ ના હતા. જેના જવાબ મળ્યા તે અત્યંત ચોંકાવનારા છે.

પ્રશ્ન .1 : લોકડાઉન અને કોરોન્ટાઇન નો અર્થ શું? આ બાબતે નિયમ કોણ અને કોના દ્વારા બનાવવા માં આવ્યા ?પુરી જાણકારી આપો.

જવાબ 1:તમારા દ્રારા માંગવામાં આવેલી જાણકારી ને સંબધિત ડિઝાસ્ટર મેનેઝમેન્ટ માં રેકોર્ડ ઉપલબ્ધ નથી.

પ્રશ્ન 2 :  લોકડાઉન અને કોરોન્ટાઇન ની શુ કોઈ જોગવાઈ છે? આ ક્યારે બન્યા અને કઈ સ્થિતિ માં લાગુ પડ્યા?

જવાબ 2:તમારા દ્રારા માંગવામાં આવેલી જાણકારી ને સંબધિત ડિઝાસ્ટર મેનેઝમેન્ટ માં રેકોર્ડ ઉપલબ્ધ નથી.

પ્રશ્ન 3 : લોકડાઉન ના સમયગાળા દરમીયાન કોઈ ગરીબ ભૂખમરા થી મરી જાય તો એનો કોણ જીમેંદાર ગણાશે અને એના પરિવાર ને વળતર ની કાઈ જોગવાઇ છે?જો હોઈ તો બતાવો.

જવાબ 3 : તમારા દ્રારા માંગવામાં આવેલી જાણકારી ને સંબધિત ડિઝાસ્ટર મેનેઝમેન્ટ માં રેકોર્ડ ઉપલબ્ધ નથી.

પ્રશ્ન 4  : આખા ભારતમાં કોની સલાહ થી લોકડાઉન કરવામાં આવ્યું? એના પરિપત્ર ની કોપી આપો (લોકડાઉન 1,2,3 વગેરે.)

જવાબ 4: રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(N. D. M. A.)  એ દેશ માં covid-19 ની ફેલાવા ની ખતરનાક સ્થિતિ ને આકારણી કર્યા પછી ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -2005 નો ધારા 6 (2)(i ) ને અંતર્ગત તેની શક્તિનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય કારોબારી સમિતિ (N. E. C.) એ અલગ અલગ સમયે બધી જ રાજ્ય સરકારો અને રાજકીય મંત્રાલયો/વિભાગો ને આવશ્યક દિશા અને  નિર્દેશ જારી કર્યા જેથી કરીને સામાજિક અંતર  ને સુનિશ્ચિત કરીને એનો ઉપયોગ કરી શકે.N. D. M. A.ના ઉપર ના આદેશ આદેશ ના અનુપાલન માટે N E C ના અદયક્ષ રૂપે ગૃહ સચિવે ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -2005 ની ધારા 10 (2) (I) ના અંતર્ગત સમયે સમયે આદેશ કર્યા હતા.દેશ માં covid-19 ની મહામારી ને રોકવા માટે રાજ્યો/કેન્દ્રસાશીત પ્રદેશો અને તેમના મંત્રાલયો દ્રારા ઉઠાવાયેલ આદેશ ને કારણે દેશ માં લોકડાઉન નો ઉપાય લાગુ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી ને સાંબધિત માહિતી વેબસાઈટ www.mha.gov.in ઉપર ઉપલબ્ધ છે.ત્યાંથી માહિતી પ્રાપ્ત કરી શકો છો.

પ્રશ્ન 5: મહામારી નો સાચો અર્થ શું? ભારતીય બંધારણ માં મહામારી નો અર્થ શું? આ મહામારી છે એ કઈ રીતે ખબર પડે?

જવાબ5 :તમારા દ્રારા માંગવામાં આવેલી જાણકારી ને સંબધિત ડિઝાસ્ટર મેનેઝમેન્ટ માં રેકોર્ડ ઉપલબ્ધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *