ઉતરાયણ પહેલા જ ગુજરાત સરકાર થઇ એલર્ટ, લાગુ થયા અનેક પ્રતિબંધો – વાંચી લો નહિતર હેરાન થશો

ગુજરાત(Gujarat): બે દિવસ બાદ ઉત્તરાયણ(Uttarayan)નો તહેવાર આવી રહ્યો છે અને તેને કારણે પતંગ રસિકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેટલાય લોકોએ અત્યારથી જ ઉતરાયણની તડામાડ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પરંતુ ઉત્તરાયણના દિવસે જો આ નિયમો ભૂલ્યા તો સીધું જ પોલીસ સ્ટેશનમાં જવું પડી શકે છે. એટલે ધાબા પર પતંગ ચગાવતા પહેલા ચડો તો આ નિયમો તમારા માટે વાચવા ખુબ જ જરૂરી છે.

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ પર કેટલાય કડક નિયમો લગાવી દેવામાં આવ્યા છે કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આગામી ઉત્તરાયણના તહેવાર માટે કડક માર્ગદર્શિકા બહાર પાડીને પતંગ ચગાવવા માટે જાહેર સ્થળો, રસ્તાઓ અને ખુલ્લા મેદાનોમાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પતંગ ઉડાડવા માટે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, કોઈપણ જાહેર સ્થળ, ખુલ્લા મેદાનમાં કે રસ્તા પર પતંગ ઉડાડવા માટે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ધાબા પર કે સોસાયટીમાં ડીજે અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે. ઉત્તરાયણની ઉજવણી દરમ્યાન પતંગ રસિયાઓએ નિયમોનુ પાલન કરવું ખુબ જ જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તહેવાર દરમિયાન પોલીસ સ્ટેશન જવાનો વખત આવી શકે છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 હજાર 97 કોરોના કેસ નોંધાયા હતા. જયારે 1539 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 2 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. તો રાજ્યમાં ઓમિક્રોનના વધુ 28 કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. રાજ્યમાં કુલ 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં 1923 કેસ કોરોના કેસ, સુરતમાં 1892 કેસ, વડોદરામાં 470 કેસ, રાજકોટમાં 249 કેસ, ગાંધીનગરમાં 195 કેસ, ભાવનગરમાં 108 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 3.82 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *