સુરત(Surat): શહેરમાં લવ જેહાદ(Love Jihad)ને લઈ નવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછા(Varachha) વિસ્તારમાં વિધર્મી યુવક કિશોરીનું અપહરણ કરીને લઇ જવાનો હતો. ત્યારે જ કિશોરીના પરિવારજનો અને સોસાયટીના લોકોએ વિધર્મી યુવકને પકડી પાડ્યો હતો. ત્યાર બાદ વિધર્મી યુવક અને કિશોરીને વરાછા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વરાછા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, વરાછામાં રહેતી 16 વર્ષીય સગીરા આરોપી અરબાજખાન ઇદ્રીશખાનના સંપર્કમાં આવી હતી. અરબાઝ અને સગીરા ભાગી જવા માંગતા હતા. સગીરા ઘરેથી નીકળીને સોસાયટીના નાકે અરબાજખાનને મળી ત્યારે સગીરાનો ભાઈ, માતા-બહેન અને સોસાયટીના લોકો ભેગા થઈ બંનેને ઝડપી લીધા હતા.
આપણને સૌને ખબર છે કે અવાર નવાર લવ જેહાદના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હવે સુરતના વરાછામાં લવ જેહાદનો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. હાલમાં પોલીસે વિધર્મી યુવક વિરુધ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.