ગુજરાતના આ મંદિરમાં માતાજીની કૃપાથી મૂંગા પણ બોલાતાં થઈ જાય છે, અહિયાં બોબડી માતાએ પૂર્યા છે અનેક પરચા…

Bobadi Mata Temple Sabarkantha: ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિરો એવા છે જે તેમની ખાસિયત માટે પ્રખ્યાત છે. આવુ જ એક મંદિર છે ઈડરના ઈશ્વરપુરા ગામમાં આવેલું બોબડી માતાજીનું મંદિર. લોકવાયકા છે કે, આ બોબડી માતાના મંદિરમાં મુંગા પણ બોલતા થાય છે. જે ઘરમાં સંતાનો(Bobadi Mata Temple Sabarkantha) વહેલા બોલતા ન હોય તો તેઓ બોબડી માતાની બાધા રાખે છે. અહી માનતા માનવામાં બાળક બોલતુ થાય છે.

જેનું બાળક મૂંગું હોય તેના માતાપિતા અહીંયા માનતા રાખે છે
ઈડરની આસપાસ અનેક ડુંગરા આવેલા છે. આ મનોરમ્ય ડુંગરોની વચ્ચે ઈશ્વરપુરા ગામ આવેલું છે. જ્યાં બોબડી માતાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે, આ મંદિર 50 વર્ષો જુનુ છે. મંદિરની પૂજા કરનાર તેમજ ભક્તોનું કહેવું છે કે, જે ઘરમાં કોઈ બાળક 5 વર્ષ બાદ બોલી શક્તુ ન હોય તો માતાપિતા તેને બોબડી માતા પાસે લાવે છે અને શ્રદ્ધા સાથે માનતા રાખે છે.

ભક્તો સોનાની અથવા ચાંદીની જીભ ચઢાવે છે
એવી માન્યતા છે કે, બોબડી માતાની માનતા રાખવાથી બાળકનું મુંગાપણું દૂર થાય છે. આ મંદિરમાં મુંગું બાળક પણ બોલતું થાય છે. જો બાળક બોલતુ ન હોય તો માતાપિતા બોબડી માતાની સામે સોનાની અથવા ચાંદીની જીભ ચઢાવે છે. આ ઉપરાંત જો કોઈ બાળકને કે મોટી વ્યક્તિને બોલવાની તકલીફ હોય, જીભ ચોંટતી હોય કે પછી તોતડાપણું હોય તો બોબડી માતાની બાધા માનવાથી બધુ દૂર થઈ જાય છે તેવુ લોકો માને છે.

ઘરની બાબરીના પ્રસંગો પણ અહી પૂર્ણ કરે
બોબડી માતામાં અનેક લોકો શ્રદ્ધાથી આવે છે. ખાસ કરીને રાજસ્થાનના લોકો અહી માનતા માનવામાં આવે છે. તો ઝીંઝવા ગામના લોકો બોબડી માતા પર અપાર શ્રદ્ધા ધરાવે છે. કેટલાક લોકો ઘરની બાબરીના પ્રસંગો પણ અહી પૂર્ણ કરે છે. એવી લોકવાયકા છે કે, માતાજીએ અનેક પરચા આપ્યાછે. માતાની કૃપાથી અનેક બાળકો સાજા થયા છે.

માતાજીનો ઇતિહાસ
ઈડર તાલુકાના ઝીંઝવા ગામના દરેક સમાજ અને કોમના લોકોની બાબરી આ મંદિરે જ થાય છે. ઝીંઝવા ગામના લોકો માતાજી માટે અસીમ શ્રદ્ધા ધરાવે છે. એક વાર ગામના એક બાબરીના પ્રસંગે નાની બાળકી ગુમ થઈ ગઈ હતી. ઘણી શોધખોળ બાદ પણ બાળકીની ભાળ મળતી ન હતી. ગામવાસીઓએ બોબડી માતા સમક્ષ બાધા માની અને ખૂબ આજીજી કરી હતી. લોકવાયકા પ્રમાણે, માતાજીએ એક વ્યક્તિને ગેબી ઇશારો આપ્યો હતો અને માતાજીની કૃપાથી આસપાસમાં આવેલા એક ડુંગરની ટોચ પર બાળકી મળી આવી હતી. આવા અનેક પરચા માતાજી આપી ચૂક્યા છે.