હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: રાજ્યમાં હવે ચોમાસું લેશે વિદાય

અમદાવાદ(ગુજરાત): ત્રણ દિવસ પહેલા વાવાઝોડાની અસરે જાણે રાજ્યમાં ભારે તારાજી સર્જી હતી. ત્યારે શનિવારે અમદાવાદમાં(rainfall in Ahmedabad) ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેની સાથે દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના થોડા વિસ્તારોમાં પણ વરસાદ(rain in Gujarat) નોંધાયો હતો. જ્યારે હાલ સૌરાષ્ટ્ર(Saurashtra) અને કચ્છમાં બે દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ(Gujarat farmer) રાહતનો શ્વાસ લીધો છે. આ દરમિયાન હવામાન વિભાગના(Gujarat weather forecast) જણાવ્યા અનુસાર, આજથી એટલે રવિવારથી ધીરે ધીરે હવામાન સુકૂં થવા લાગશે. જેની શરૂઆત કચ્છથી થશે. જ્યાં સુકા પવનો ફૂંકાવવા લાગશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચમી તારીખથી પશ્ચિમી અને ઉત્તરપશ્ચિમી પવનો સ્થાપિત થશે. આ પવનો એન્ટી સાયક્લોનિક દિશાના રહેશે જેના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટવા લાગી શકે છે. જેનાથી છઠ્ઠી તારીખની આસપાસથી ગુજરાત સહિત દેશના પશ્ચિમ, ઉત્તરના ભાગોમાંથી ઝડપથી ચોમાસુ વિદાય લેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવવામાં આવ્યું છે કે, ચોમાસું હવે ધીરે ધીરે વિદાય લેશે. વિદાયના ચિન્હો તરીકે હાલમાં ચોક્કસ પ્રકારના જીવો આકાશમાં ઉડી રહ્યાં છે. જે ચોમાસાની વિદાયના સંકેત બતાવે છે. સામાન્ય રીતે જ્યાં વરસાદ મંડાય છે ત્યાં જ ખલાસ થાય છે. જ્યાંથી વાદળા થયા હતા ત્યાં જ અલોપ થઈ જાય. પાણી સામાન્ય રીતે ઓસરવા માંડે.

રાત્રિના પહેલા પ્રહર સુધી વરસાદનું જોર સામાન્ય રહે. મેઘરવો આવતો બંધ પડે. જે સુરીયા પવને વરસાદ આવતો તે જ પવનથી ઝાકળ આવવા માંડે. આ બધા ચોમાસું વિદાય લેવાના ચિન્હો છે. જ્યાં સુધી પૂર્વનો પવન ચોખ્ખો ન થાય ત્યાં સુધી થોડા ઘણા વરસાદી ઝાપટાંની શક્યતા પણ રહેતી હોય છે. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયાના અંતમાં ચોમાસું વિદાય લેવાની શક્યતા રહેલી છે.

આ વર્ષે જુલાઇ અને ઓગસ્ટ કોરા જેવા જ રહ્યા છે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ રાજ્યમાં પાણી પાણી કરી દીધું છે. ગુજરાતમાં 81 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે ગુજરાતના મોટા 18 ડેમમાંથી 5 ડેમ કડાણા, શેત્રુંજી, સુખી, ઉંડ-1 અને મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. આ સાથે જ 206 ડેમમાંથી 123 ડેમ હાઈ એલર્ટ, 8 ડેમ એલર્ટ અને 8 ડેમ વોર્નિંગ લેવલ પર હોવાનું સામે આવ્યું છે.

હાલની પરિસ્થિતિ જોતા નવરાત્રિમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી કોઈ સંભાવના અત્યારે નથી. જ્યારે જયોતિષશાસ્ત્રની દૃષ્ટિએ હાથિયો નક્ષત્ર હોવાને કારણે ભારે વરસાદ પડ્યો. પરંતુ, 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે. તેમાં કોઇ ભારે વરસાદ પડતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *