‘હું અમર થઇ ગયો છું, મને કઈ નહિ થાય’ સેવકે ખરાઈ કરવા જીક્યું દાતરડું અને ચાર દિવસ પછી કુવા માંથી મળી લાશ

ગુજરાત (Gujarat) ના ભાવનગર (Bhavanagar) શહેરમાં મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ‘હું છું હું ક્યારેય નહીં મરું’ કહેનારા મહંતનું મૃત્યુ થતાં પોલીસ દોડતી થઇ હતી.…

ગુજરાત (Gujarat) ના ભાવનગર (Bhavanagar) શહેરમાં મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ‘હું છું હું ક્યારેય નહીં મરું’ કહેનારા મહંતનું મૃત્યુ થતાં પોલીસ દોડતી થઇ હતી.

મળતી માહિતી અનુસાર, આશ્રમના મહંતે તેના શિષ્યને કીધું હતું કે, ‘હું અમર થઈ ગયો છું, વિશ્વાસ ન આવે તો ખરાઈ કરી લે! મને કઈ જ થશે નહીં.’ મહંતની આજ્ઞાનું પાલન કરી શિષ્યે દાતરડાથી હુમલો કર્યો હતો અને ઘટના સ્થળે જ મહંત મૃત્યુ થયું હતું. દાતરડું મારતા જ મહંત લોહીલુહાણ થઇને ઢળી પડ્યા હતા. શિષ્યને જાણ થઈ કે, મહંતો મૃત્યુ પામ્યા છે, ત્યારે શિષ્ય સબૂતો સાથે મહંતને કુવામાં ફેંકી દીધા હતા.

તમને જણાવી દઈએ કે, 5 દિવસ પહેલા ઢસા નજીક ચોસલા ગામે આ મહંતની હત્યા થઈ હતી. પોલીસે એક ઇસમને ઝડપી પાડયો હતો. તે બીજું કોઇને પરંતુ તે મહંતનો જ શિષ્ય હતો. જ્યારે સમગ્ર ઘટના પરથી પડદો ઉચક્યો ત્યારે પોલીસને ઘટનાની જાણ થઈ હતી. અંધશ્રદ્ધામાં એક શિષ્યના હાથે તેના ગુરુની હત્યા થઈ હતી. આ સેવકને કોર્ટમાં રજૂ કરતા, કોટે આરોપી શિષ્યને એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

શ્રદ્ધાની વાત હોય તો પુરાવા ની ક્યાં જરૂર છે? આજ વાતને સત્ય સાબિત કરતી ઘટના અનુસાર, ઢસાના ચોસલા ગામે હનુમાન મંદિર આશ્રમના મહંત રામદાસજી છેલ્લા ઘણા દિવસથી ગુમ હતા, જ્યારે શોધખોળ કરી ત્યારે તે આશ્રમના કૂવામાંથી મહંતની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *