વલસાડના દિવ્યાંગ યુવકે, એપાર્ટમેન્ટના ટેરેસ પરથી લગાવી મોતની છલાંગ- કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે

વલસાડ(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત(Suicide) કરી રહ્યા છે. ત્યારે ફરીવાર…

વલસાડ(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત(Suicide) કરી રહ્યા છે. ત્યારે ફરીવાર એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વલસાડ(Valsad)ના નનકવાડા(Nanakwada) ખાતે રહેતો માનસિક દિવ્યાંગ યુવક તિથલ રોડ(Tithal Road) ઉપર આવેલા સરવાણી એપાર્ટમેન્ટ(Sarvani Apartment)માં રહેતા તેના ફઈના ઘરે તેના પિતા સાથે મળવા આવ્યો હતો.

આ દરમિયાન, માનસિક બીમારીથી કંટાળી ગયેલા દિવ્યાંગ યુવકે એપાર્ટમેન્ટના ટેરેસ ઉપરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતા પોલીસ દ્વારા તાત્કાલિક મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વલસાડના નનકવાડા ખાતે રહેતો 32 વર્ષીય માનસિક દિવ્યાંગ યુવક મનન રાકેશભાઈ દેસાઈ શુક્રવારના સવારે તિથલ રોડ ઉપર આવેલા સરવાણી એપાર્ટમેન્ટમાં રહેતા યુવકના ફોઈને મળવા તેના પિતા રાકેશભાઈ સાથે આવ્યો હતો. શુક્રવારે સવારે મનને તેની ફોઈને ફોન કરીને જણાવ્યું હતું કે, હું તમને મળવા આવું છું.

મનન તેના પિતા રાકેશભાઇ દેસાઈ સાથે ફઇ પપ્પુબેનને મળવા જવાની જગ્યાએ એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર જઈને મોતની છલાંગ લગાવી હતી. જાણવા મળ્યું છે કે, આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા એપાર્ટમેન્ટના રહીશો અને પરિવારના સભ્યોમાં ભાગદોડ મચી ગઇ હતી. તેમજ વલસાડ સીટી પોલીસની ટીમને જાણ થતા વલસાડ સીટી પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *