સુરત: પહેલા સિવિલે દર્દીને નેગેટીવ કહી રજા આપી અને પછી SMCની ટીમ પોઝિટિવ કહી લેવા આવી

હાલ ગુજરાતમાં કોરોનાનો પરમાણુ વિસ્ફોટ થયો છે. ગણતરીના સમયમાં જ કોરોનાની સંખ્યા વધી રહી છે, ગુજરાત રાજ્યમાં સૌથી વધારે કેસો અમદાવાદા શહેરમાં આવી રહ્યા છે, ત્યાં કોરોનાની સંખ્યા ઘટવાનું નામ જ નથી લઇ રહ્યો. જો અમદાવાદ પછી કોઈ શહેરનો નંબર આવે તો એ શહેર છે સુરત. સુરતમાં પણ દિવસેને દિવસે કોરોનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં કોરોનાને કાબુમાં લેવા માટે સુરત મહાનગરપાલિકા દિવસ-રાત એક કરીને કામગીરી કરી રહી છે. કોરોના વચ્ચે પણ ઘણી બેદરકારીની ઘટના પહેલા પણ સામે આવી ચુકી છે, અને હાલ પણ સુરતમાં એવી જ એક ઘટના સામે આવી છે.

સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલની એક બેદરકારીને કારણે એક પરિવારના 12 સભ્યોને કોરોનાના સંક્રમણનો ડર સતાવી રહ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું કહીને તેને રજા આપી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહીને તેને લેવા માટે ઘરે પરત આવી હતી. ત્યારબાદ દર્દીને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અને તેની સારવાર હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા 46 વર્ષના સંજય મિસ્ત્રી નામના રત્નકલાકારને ચાર દિવસ પહેલા તાવ આવતા તેમના મેલેરિયા સહિતના બીજા રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. તમામ રિપોર્ટ નોર્મલ આવતા મંગળવારે સંજય મિસ્ત્રીનો સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. 24 જૂન અને બુધવારે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ સંજય મિસ્ત્રીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું કહીને તેમને ઘરે જવા માટે મંજૂરી આપી દીધી હતી. તેના કારણે બુધવારે સંજય મિસ્ત્રી પોતાના ઘરે આવ્યા હતા. સંજય મિસ્ત્રીના પરિવારમાં 12 સભ્યો છે. હાલ આ ઘટનાથી તેને પણ ડર લાગી રહ્યો છે.

25 જૂનના રોજ ઉધના ઝોનની આરોગ્ય વિભાગની ટીમ કોરોના ગ્રસ્ત દર્દીના ઘરે આવી હતી. અને સંજય મિસ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહીને તેને ફરીથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા સાથે લઇ ગયા હતા. આ સમગ્ર મામલે દર્દી સંજય મિસ્ત્રીએ આક્ષેપ લગાવતા કહ્યું છે કે, “મારો રિપોર્ટ નેગેટીવ હોવાનું કહીને મને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો અને મારા ઘરમાં 12 લોકો છે. અને જો પરિવારના સભ્યોને કોરોનાનું સંક્રમણ થશે તો તેનું જવાબદાર કોણ?”

આ તમામ ઘટના અંગે ઉધના ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રકાશ પટેલે જણાવતા કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાંથી સુરત મહાનગરપાલિકાને જે તે દર્દીના રિપોર્ટ મેલ કરવામાં આવે છે. હોસ્પિટલમાંથી જે પ્રમાણે મેલ આવે છે તે પ્રમાણે દર્દી અંગે માહિતી મળતી હોય છે. જો આ મેલમાં કોઈ પોઝિટિવ કેસ આવે તો સંલગ્ન ઝોન દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવે છે. આ ઘટનામાં સિવિલમાંથી જે મેલ આવ્યો તેમાં દર્દી પોઝિટિવ આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ બાબતે સિવિલ હોસ્પિટલમાં જઈને તપાસ કરાવી લઉં છું. હાલના સમયમાં કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે આવા સમયે હોસ્પિટલોની આવી બેદરકારીથી ઘણા લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *