ગુજરાતના આ શહેરમાં થૂંકતા લોકોને ઝડપી 6.22 લાખ દંડ વસુલી લીધો, જાણો અહીં

કોરોના વાયરસનો ચેપ સંક્રમિત વ્યક્તિનાં જાહેરમાં થુંકવાના કારણે ફેલાતો હોવાની શક્યતા સેવાયેલી છે. જેથી જાહેરમાં થુંકવા ઉપર રવિવારનાં 15 માર્ચનાં રોજ સરકારે પ્રતિબંધ મૂક્યો છે એટલે કે સરકારે જાહેરમાં જે પણ વ્યક્તિ જાહેરમાં થુંકશે તેની પાસેથી હવે 500 રૂપિયા દંડ લેવામાં આવશે. રવિવારનાં રોજ જાહેરમાં થુંકનારા વ્યક્તિઓને આરોગ્ય ખાતાની ટીમ દ્વારા પકડી પકડીને દંડ વસુલવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય કચેરીએ આજે કોરોનાને ફેલાતો અટકાવવાના હેતુથી બહારથી આવતા તમામ નાગરિકોનું ટેમ્પરેચર માપવામાં આવતું હતું અને હાથમાં સેનેટાઇઝરના બે ટીપા આપવામાં આવતા હતા. બીજી તરફ સોલિડ વેસ્ટ ખાતાની કામે લાગેલી 278 ટીમોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જાહેરમાં થૂંકતા 1244 નાગરિકોને ઝડપી લઈને રૂા. 6.22 લાખનો દંડ ફટકાર્યો હતો.

રાજ્ય સરકારે જાહેરમાં થૂંકનાર વ્યક્તિનો રૂા. 500 દંડ વસુલ કરવાની આપેલી સૂચનાના સંદર્ભમાં સોલિડ વેસ્ટ ખાતાએ એન્જિનિયરિંગ, ટેક્સ એસ્ટેટ, જેટની ટીમ વગેરે કર્મચારીઓને સાંકળીને 278 ટીમોને શહેરના 7 ઝોન અને 48 વોર્ડમાં કામે લગાડી હતી. ટ્રાફિક જંક્શનો ઉપર પિચકારી મારતા લોકોને સીસીટીવી કેમેરા દ્વારા ઝડપી લેવાયા હતા. મેયર બિજલ પટેલે નાગરિકોને વારંવાર હાથ ધોઈને સાવચેતી વર્તવાની સલાહ આપતાં જણાવ્યું હતું કે, આગામી બે સપ્તાહ દરમ્યાન તેમણે જે કોઈ જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાનું સ્વીકાર્યું હતું તે તમામ રદ કરી દીધાં છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકની માહિતી આપતા રાજ્યનાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોરોના વાઈરસ સામે તકેદારી અને સાવચેતીનાં આગોતરા પગલાંરૂપે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

આ અનુસંધાનમાં હવે સોમવારનાં રોજ આજથી રાજ્યમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બે અઠવાડીયા સુધી બંધ રહેશે ઉપરાંત આંગણવાડી પણ બંધ રહેશે. જ્યારે હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓ યથાવત રહેશે. ઉપરાંત સિનેમાઘરો, મોલ, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. તેમજ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં જાહેર સ્થળોએ થુંકવા પર પ્રતિબંધ લાગું કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો તેઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓને આગામી બે સપ્તાહ સુધી ધાર્મિક કાર્યક્રમો ન યોજવા અંગેનો પણ અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના હવાથી ફેલાતો વાયરસ નથી. તેનું કદ મોટું હોવાથી તે હવામાં જલ્દીથી ફેલાય શકે નહિ. આમ છતાં કોરોના નો ભય બતાવીને તંત્ર જાણતા પાસેથી પૈસા ખંખેરતું હોય તેવું લાગી રહ્યું છે. સ્વચ્છતા જાળવવી નાગરિકોની જવાબદારી છે. પરંતુ તંત્ર એ પણ યોગ્ય કારણ માટે જ દંડ ઉઘરાવવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *