એક ચુટકીમાં મટી જશે શરદી-ખાંસી અને તાવની સમસ્યા, જાણી લો આ ઘરેલુ ઉપાય

શરદી અને તાવમાં કામ આવશે આ ઘરેલુ ઉપાય 

તુલસી ની ચા પીવો 
ડોક્ટર અબરાર મુલ્તાની અનુસાર, જો તમે વારંવાર ખાંસી આવી રહી છે તો તુલસીના પત્તા તમારી મદદ કરશે. તે માટે તુલસીની ચા પીવો. આ ઉપરાંત તમે તાજા તુલસીના પતા લઇ શકો છો અથવા ફરીથી સૂકા પત્તા લઇ શકો છો.સૂકા તુલસીના પાનના રૂપમાં, એક ચમચી પણ પૂરતી હોઈ શકે છે.તમે એલચીની એક કે બે કળીઓ સાથે પાણીમાં નાંખો અને તેને ઉકાળો. આ તમને રાહત આપી શકે છે.

વરિયાળીનાં બીજનું સેવન કરો 
વરિયાળીનાં બીજ તમને શરદી અને ખાંસીમાં મદદ કરી શકે છે.વરિયાળી એ રસોડામાં એક સામાન્ય ઘટક છે. આ માટે એક ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળો અને તે પછી તેનું સેવન કરો. તેનાથી ગળા અને કફમાં રાહત મળશે.

હળદર ના દૂધ નું સેવન કરો 
જો તમને શરદી અને ખાંસી હોય તો હળદરનું દૂધ તમારા માટે ખુબ જ ઉપયોગી થઈ શકે છે. કારણ કે હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. તેઓ ચેપ સામે લડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *