સુરત: ઘરેથી ભાગેલા પ્રેમી-પંખીડાએ તાપી નદીમાં લગાવી મોતની છલાંગ, કારણ હતું ચોકાવનારું

સુરત(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાણીવિહિર ગામનાં પ્રેમી-પંખીડાં સાત દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયાં હતાં.

તાપી જિલ્લાના કૂકરમુંડા ગામની સીમમાં તાપી નદીના કાવિઠા પુલની ઉપર બાઈક મૂકી બન્ને પ્રેમી-પંખીડાં નદીમાં કૂદી ગયા હતાં. જે અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આજે પ્રેમિકાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે પ્રેમીની શોધખોળ હજી ચાલુ છે. મળતી માહિતી મુજબ, તાપીના કૂકરમુંડા તાલુકાના જૂના કૂકરમુંડા ખાતે આવેલા તેમજ નિઝરના વેલ્દા ટાંકીથી કૂકરમુંડા તરફ જતા રસ્તા પરના તાપી નદી પુલ ઉપરથી ગઈકાલે સાંજે પુલ પર બાઈક મૂકી એક યુવક અને યુવતી નદીમાં કૂદી પડ્યાં હતાં.

આ દરમિયાન, સ્થાનિકો દ્વારા તપાસ કરવામાં આવતા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકૂવા તાલુકામાં આવેલા વાણીવિહિર ગામના ગુરુદત્ત ભાઈ રાજેસિંગભાઈ પાડવી અને ગામની તેની પ્રેમિકા તનશ્રીબેન ગોસાવી હોવાનું સામે આવ્યું હતું. જાણવા મળ્યું છે કે, આ બંને પ્રેમી-પંખીડાં સાતેક દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયાં હતાં.

બંનેને ભાગી જવા બાબતે પોતાના બંને પરિવાર અને સમાજમાં વાત થાય તથા ઇજ્જત જવા અંગે પસ્તાવો થતાં પોતેપોતાની જાતે બંને પ્રેમી-પંખીડાંએ તાપી નદીના પુલ ઉપરથી છલાંગ લગાવી હતી. આ અંગે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાણીવિહિર ગામના જિતેન્દ્રભાઇ દોલત ભાઈ પાડવી દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *