પતિની દારૂની ટેવથી કંટાળી પત્ની… ગલ્લેથી લાફા મારતી-મારતી ઘરે લઇ ગઈ અને આપ્યું દર્દનાક મોત

અમદાવાદ(Ahmedabad): શહેરમાં હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને પરિવારજનો દ્વારા જ પરિવારજનની હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આજે ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી દીધી છે. પત્નીએ પતિએ આપઘાત કાર્યો હોવાની વાતો કરીને લાશ પાસે ધ્રૂસકે ધ્રુસકે રડવાનું નાટક કરતી પત્નીને જોઈને કોઈને પણ એમ થાય કે પતિના જવાથી પત્ની આઘાતમાં સરી પડી છે. પોલીસ પણ પહેલા માની લીધું કે આ આપઘાત છે. પરંતુ પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી આખું રહસ્ય ખુલી ગયું હતું. તેથી હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પતિની દારુ પીવાની ટેવ હત્યા માટે કારણભૂત હોય શકે:
મળતી માહિતી અનુસાર, ઠક્કરનગર પાસે આવેલી કેવડાજીની ચાલીમાં અનિલ અને પત્ની મંગલાબેન પોતાના બાળકો સાથે રહેતા હતા. અનિલને દારૂ પીવાની ટેવ હતી, જેના કારણે તેની અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ દરમિયાન એક દિવસ પતિને ગલ્લાં પરથી મારતી મારતી પત્ની ઘરે લઈ ગઈ હતી. તેમજ તેને ગળા ટૂંપો આપી મારી નાખ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ આપઘાત નહી પણ હત્યા હોવાનું સામે આવ્યું હતું. તેથી આ હત્યા પાછળ પતિની દારૂ પીવાની ટેવ હોવાથી હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે.

પત્ની અચાનક જ બૂમો પાડવા લાગી:
આ અંગે મૃતકના ભાઈ સુનીલે જણાવ્યું હતું કે, 23મીએ તેની ભાભી અચાનક બૂમો પાડવા માંડી અને કહ્યું કે અનિલભાઈ કે ઘર મેં કુછ હુઆ હૈ, જેથી હું અને મારી પત્ની ત્યાં પહોંચ્યા હતા. જ્યાં મારા ભાભી મંગલાબેન રડી રહ્યા હતા અને મારા ભાઈની લાશ સીડી પાસે પડી હતી. આ દરમિયાન પોલીસ પણ ત્યાં આવી ત્યારે મારા ભાભીએ કહ્યું કે, તેમણે ઉપરના રૂમમાં ગાળા ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જેથી હું પણ ઉપરના રૂમમાં ગયો ત્યાં બારીમાં ચાદર લટકતી હતી. ત્યારબાદ અનિલની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આજ તુજે માર ડાલુંગી કહી મારતા મારતા ઘરે લઈ ગઈ હતી:
આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ દરેકને એમ જ હતું કે અનિલે આપઘાત કર્યો છે. ત્યારે વધુમાં સુનીલે જણાવ્યું હતું કે, આ વિસ્તરના બે લોકોએ મને કહ્યું કે 22મી રાતે તારો ભાઈ અનિલ પાનના ગલ્લાં પાસે ઉભો હતો, ત્યારે તારી ભાભી તેને ગાળો બોલતી અને લાફા મારતી ઘરે લઈ જઈ રહી હતી અને કહેતી હતી કે, આજ તુજે માર ડાલુંગી.

આ દરમિયાન પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં અનિલે આપઘાત નહીં પણ તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેના શરીર પર ઇજા પણ હતી. જેને પગલે સુનિલ દીવાકરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી કૃષ્ણ નગર પોલીસે મંગલાબેનની પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, તેણે પતિને ગળા ટૂંપો આપી મારી નાખ્યો હતો. આ મામલે કૃષ્ણ નગર પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. તેમજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *