ભજીયા સારા નથી બન્યા કહેવું ભારે પડી ગયું આ ઇસમને, પત્નીએ કરી દીધી ઘાતકી હત્યા

ક્રાઈમ દિવસે ને દિવસે દેશમાં વધતો જ જાઈ ના તો કોઈ સબંધ જોવે છે ના કોઈ પરિસ્થિતિ, આજે બહાર આવીયો છે એવો જ એક ચોંકાવનાર…

ક્રાઈમ દિવસે ને દિવસે દેશમાં વધતો જ જાઈ ના તો કોઈ સબંધ જોવે છે ના કોઈ પરિસ્થિતિ, આજે બહાર આવીયો છે એવો જ એક ચોંકાવનાર કિસ્સો. દાહોદ તાલુકાના વડબારા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પત્નિએ ભજીયા બનાવ્યા બાદ પતિ દ્વારા આ બનાવેલ ભજીયામાં ખામી કાઢતા બંન્ને પતિ – પત્નિ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો તકરાર થયો હતો.

આ બાદ રાત્રીના સમયે આ બદલાની આગમાં પત્નિ દ્વારા પતિ ઉપર હિંસક હુમલો કરી માથાના ભાગે, કાનની પાછળના ભાગે તથા આંખની નીચેના ભાગે દાંતરડા જેવા હથિયાર વડે તથા પથ્થર વડે માર મારતાં પતિનું ઘટના સ્થળ પર જ કરૃણ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતા આ બનાવથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. દાહોદના વડબારા ગામે મિનામા ફ્ળિયામાં રહેતા 35 વર્ષીય ભાદુભાઈ જોગડાભાઈ મિનામા તથા તેમની પત્નિ રમીલાબેન ભાદુભાઈ મિનામા એમ બંન્ને જણા પોતાના ઘરમાં હતા.

પત્નિ રમીલાબેને જમવાનું પણ બનાવ્યું હતુ અને જમવામાં ભજીયાની વાનગી બનાવી હતી. ભજીયા અંગે પતિ ભાદુભાઈએ કહેલ કે, તે ભજીયા કેવા બનાવેલ છે, તેમ કહેતા ઉપરોક્ત પતિ – પત્નિ વચ્ચે આ મામલે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને ઝઘડાએ ઉગ્રરૂપ પણ ધારણ કર્યું હતુ. આ ઘટનાની જાણ વાયુવેગે ગ્રામજનો પણ થતાં લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને પોલીસ પણ આવી પહોંચી હતી. આ સંબંધે મૃતક ભાદુભાઈના પિતા એટલે કે, રમીલાબેનના સસરા જોગડાભાઈ મગનભાઈ મિનામાએ પોતાની વહુ રમીલાબેન વિરૃધ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *