‘આપે એ આઈ ને માંગે એ બાઈ’- મનોકામના પૂરી થતા મહિલાએ મોગલ માં ના ચરણોમાં ધર્યા ૫૧,૦૦૦ રૂપિયા

માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ તો દયાળી છે તેમને યાદ કરતા જ માં મોગલ મદદ માટે આવી પહોંચે છે. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. આજ દિન સુધી માં મોગલ એક ઘણા ભક્તોના દુઃખ પણ દૂર કર્યા છે.એટલું જ નહીં પરંતુ માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે, તેમના નામ લેવા માત્રથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આજ દિન સુધી માં મોગલ એ લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે. તેમના પરચા માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે અને માં મોગલ ની વિદેશ સુધી ખ્યાતિ ફેલાયેલી છે. એવામાં જ હાલ આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં એક ભાવનાબેન નામની મહિલા સુરત થી પોતાની માનતા પૂરી થતા ની સાથે ૫૧૦૦૦ માનેલી માનતાના લઈને આવી પહોચી હતી કબરાઉ ધામે.

આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે મહિલા એ મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવક કે કહ્યું કે તેમની મનોકામના પૂર્ણ થઇ અને તેમની દીકરીને લંડન ના વિઝા મળી ગયા તેથી ૫૧૦૦૦ રૂપિયાની માનતા માની હતી.મણીધર બાપુ એ એ મહિલા ને આશીર્વાદ આપ્યા સાથે કહ્યું કે બેટા તારી માનતા ૧૭૧ ગણી સ્વીકારી છે અને કોઈ અંધશ્રદ્ધા માં ન આવતા તમારી હરહંમેશ માં મોગલ તમારી તમામ સમસ્યાઓ દુર કરે છે.

મણીધર બાપુ એ વધુ માં કહ્યું કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો એટલે માં બધી જ મનોકામના પૂર્ણ કરે છે.મણીધર બાપુ એ એ યુવક ને ૫૧૦૦૦ રૂપિયા માં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું આ રૂપિયા તારી બેય નણંદ અને તારી બંને દીકરી ને આપજે માં મોગલ રાજી થશે અને માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એતો માત્ર ભક્તો ના ભાવ ના ભૂખ્યા છે.અને કહેવાય છે કે આ દુનિયા નો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *