અહિયાં માતાજીના મંદિરમાં એવી વસ્તુ ચઢાવવામાં આવે છે કે, જોઇને ભલભલાની આંખો પહોળી થઈ જશે…

ભારત દેશમાં ટેકનોલોજીનાં સમયમાં પણ પ્રાચીન માન્યતાઓનું પાલન કરવામાં આવે છે. ઘણીવાર એવી માન્યતાઓ સામે આવતી હોય છે કે, જેને સાંભળીને ઘણાં લોકોને નવાઈ લગતી હોય છે. હાલમાં પણ આવી જ ધાર્મિક માન્યતાઓ વિશેની એક જાણકારી સામે આવી રહી છે.  ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં પણ જાતિ તેમજ ધર્મના નામે વિવિધ પરંપરાઓ તથા રીતિ-રિવાજોનું ચલણ રહેલું છે.

આની સાથે જ ઘણી એવી માન્યતાઓ તથા પ્રથા પણ રહેલી છે કે, જે સદીઓથી ચાલી આવી રહી છે. દેશનાં કેટલાંક હિસ્સામાં ઘણાં સમુદાયો ધાર્મિક રીતિ-રિવાજ અસમાન્ય હોય છે. જેની પર વિશ્વાસ કરવો પણ ઘણો મુશ્કેલ પડતો હોય છે. આ ધાર્મિક પરંપરાઓમાં ઘણાં પ્રકારનાં વિવિધ તેમજ અજબ-ગજબ રીતિ-રિવાજો તેમજ માન્યતાઓનો સમાવેશ થાય છે. આવી જ એક ધાર્મિક રીતિ-રિવાજની વાત કરશું જેને જાણીને તમને પણ નવાઈ લાગશે.

અહી પ્રસાદરૂપે માં શક્તિને દૂધી ચઢે છે :
આમ તો ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે, મંદિરમાં દર્શન કરવાં માટે લોકો પ્રસાદમાં મિઠાઈ, લાડુ વગેરે ચઢાવતાં હોય છે પણ દેશના અમુક મંદિર એવા પણ છે કે, જ્યાં આવું નથી થતું. અમે વાત કરી રહ્યા છીએ રતનપુરમાં આવેલ શાટન દેવી મંદિરની. આ મંદિરમાં એક અજબ પ્રકારની પરંપરાનું પાલન કરવામાં આવે છે. અહી નોંધનીય છે કે, સામાન્ય રીતે મંદિરોમાં પ્રસાદમાં લાડુ, ફળ, ફુલ, નારિયળ ચઢાવવાની પ્રથા રહેલી હોય છે પરંતુ અહી શાટન દેવીનાં મંદિરમાં પર્સિમન ઝાડની લાકડીઓ તથા દૂધીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. એવી માન્યતા રહેલી છે કે, બાળકની મન્નત માટે આ મંદિર જાણીતું છે. ભક્ત અહીં બાળકોના સારા સ્વાસ્થ્ય  માટેની કામના કરે છે.

પિંડ નહીં શિવલિંગ કરે છે દાન :
ઉત્તર પ્રદેશમાં આવેલ પ્રખ્યાત શહેર વારાણસીમાં શિવનો એક મઠ સૌથી જૂના મઠો પૈકીનો એક છે. અહીં આત્માની શાંતિ માટે પિંડ નહીં પણ શિવલિંગનું દાન કરવાની અનોખ પ્રથાનું ચલણ રહેલું છે. આને લીધે મઠમાં શ્રદ્ધાળુઓ દ્વારા દાન કરવામાં આવેલ શિવલિંગોની સંખ્યા લાખોમાં છે. આની ઉપરાંત આ મઠમાં એક સાથે લાખોની સંખ્યામાં શિવલિંગ બિરાજવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *