યુવકે પૈસાની ચુકવણીથી પરેશાન થઈને ગળેફાંસો ખાઈ કરી સંકેલી લીધી જીવનલીલા- મળી આવી સ્યુસાઇડ નોટ

ભોપાલ: ભોપાલમાં એક 23 વર્ષના યુવકે પૈસાની ચુકવણીથી પરેશાન થઈને આસિમા મોલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મરતા પહેલા તેણે ટાઇલ્સ પર સુસાઇડ નોટ પણ…

ભોપાલ: ભોપાલમાં એક 23 વર્ષના યુવકે પૈસાની ચુકવણીથી પરેશાન થઈને આસિમા મોલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મરતા પહેલા તેણે ટાઇલ્સ પર સુસાઇડ નોટ પણ લખ્યો હતો. આમાં તેણે આરોપ લગાવ્યો હતો કે, બે લોકોએ તેના 10 હજાર રૂપિયા લઇ લીધા હતા. તે એટલો પરેશાન હતો કે, તેની પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. તેણે આત્મહત્યા કરવા માટે તેના મોટા ભાઈની માફી પણ માંગી છે. મિસરોડ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મિસરોડ પોલીસના જણાવ્યા અનુસાર, જાટખેરીના દીપક નગરનો રહેવાસી 23 વર્ષનો નિહાલ સિંહ ખાનગી નોકરી કરતો હતો. પડોશમાં રહેવાવાળા તેનો 23 વર્ષીય મિત્ર હરીશ વર્મા શુક્રવારે રાત્રે લગભગ 8 વાગ્યે તેને મળવા માટે અસીમા મોલ પહોંચ્યો હતો. હરીશે જણાવ્યું હતું કે, તે નિહાલની બાઇક પરત કરવા મોલમાં ગયો હતો.

પાર્કિંગમાં ત્યાં પહોંચ્યા પછી એક ખૂણામાં નિહાલ ફંદા પર લટકતો જોવા મળ્યો હતો. લોકોની મદદથી તેઓ તેને નીચે ઉતાર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યો હતો. નજીકમાં એક ટાઇલ્સ મળી આવી છે. જેમાં તેણે કેટલાક લોકોના નામ લખતી વખતે 10 હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો ઉલ્લેખ કર્યો છે. હરીશની માહિતી પર પોલીસે મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ સુસાઈડ નોટમાં લખેલા નામોની પણ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *