મૃત્યુ પામેલી વ્યક્તિને પણ જીવિત કરી દે છે આ શિવલિંગ, જાણો શું છે આ પાછળનું રહસ્ય

તમે બધા જાણતા જ હશો મહાદેવ તો દેવોના દેવ છે, તેનો મૃત્યુંજય શ્લોક બોલવાથી મૃત વ્યક્તિ પણ જીવિત થઈ જાય છે. પરંતુ જન્મ અને મૃત્યુ…

તમે બધા જાણતા જ હશો મહાદેવ તો દેવોના દેવ છે, તેનો મૃત્યુંજય શ્લોક બોલવાથી મૃત વ્યક્તિ પણ જીવિત થઈ જાય છે. પરંતુ જન્મ અને મૃત્યુ ભોળાનાથ ના હાથ માં જ છે. જેમ શ્લોક બોલવાથી મૃત વ્યક્તિ જીવિત થઈ જાય છે તેવી જ રીતે ભારત દેશમાં શિવાજીનું એક એવું મંદિર આવેલું છે જ્યાં શિવલિંગના દર્શન કરવાથી થઈ મનોકામના પૂરી તો જાણો આ કયું મંદિર છે અને ક્યાં આવેલું છે. જન્મ અને મૃત્ય ભગવાનના હાથમાં છે, કોઈપણ વ્યક્તિના જન્મ અને મૃત્યુ વિશે કોઈ ભવિષ્યવાણી કરી શકાતી નથી.

મૃત્યુ પછી આત્મા શરીરનો ત્યાગ કરી દે છે અને તે માણસ ફરીથી જીવિત થઈ શકતો નથી. પરંતુ મૃત્યુનુ આ સનાતન સત્ય દેહરાદૂનના એક મંદિરમાં વિફળ જાય છે. જી હાં ભારતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં મૃત વ્યક્તિ પણ ફરીથી જીવિત થઈ જાય છે. દેહરાદૂનથી 128 કિલોમીટર દૂર આવેલું છે લાખામંડલ નામનું સ્થાન. યમુના નદીના કિનારે આવેલું આ સ્થળની ઊંચાઈ સમુદ્ર તળથી લગભગ 1372 મીટરની છે.

આ ગામ વિશે માન્યતા છે કે અહિં કોઈ મૃતદેહને લાવવામાં આવે તો તેમાં ફરીથી પ્રાણ પૂરાઈ જાય છે. વર્ષો પહેલા આ સ્થળ પર જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અહિંથી અલગ અલગ આકારના હજારો શિવલિંગ મળી આવ્યા હતા. લોકવાયકા એવી પણ છે કે આ સ્થળે પાંડવોને મારી નાંખવા માટે કૌરવોએ લાક્ષાગૃહ બનાવ્યું હતું. પૌરાણિક માન્યતાનુસાર યુધિષ્ઠિરે તેમના અજ્ઞાતવાસ દરમિયાન અહિં શિવલિંગની સ્થાપના કરી હતી. આ શિવલિંગ મહામંડલેશ્વર નામથી પ્રસિદ્ધ છે. અહિં એક સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ મંદિરમાં શિવલિંગની સામે બે દ્વારપાલ પશ્ચિમ મુખી જોવા મળે છે. આ દ્વારપાલ સમક્ષ કોઈને મૃતદેહ રાખી અને તેના પર મંદિરનું પવિત્ર પાણી છાંટવામાં આવે તો તેમાં થોડા સમય માટે પ્રાણ પૂરાઈ જાય છે. ત્યારપછી તેને ગંગાજળ પીવડાવવામાં આવે છે અને તે અંતિમ સમયમાં ભગવાનનું નામ લઈ શકે છે. થોડા જ સમયમાં તેની આત્મા ફરીથી દેહત્યાગ કરી દે છે. આ રહસ્ય અંગે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *