ભાજપને સૌરાષ્ટ્રમાં મોટો ઝટકો: આ દિગ્ગજ નેતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા

વિધાનસભાની ચુંટણી(Assembly elections) નજીક આવી રહી છે. જેને લઈને દરેક પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. એવામાં પક્ષ પલટાની મોસમ પણ જામી ગઈ છે. ત્યારે…

વિધાનસભાની ચુંટણી(Assembly elections) નજીક આવી રહી છે. જેને લઈને દરેક પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. એવામાં પક્ષ પલટાની મોસમ પણ જામી ગઈ છે. ત્યારે હાલ કડી (Kadi)માં અમરેલી(Amreli) જિલ્લાના રાજકારણમાં પણ ભુકંપ સર્જાયો છે. ભાજપ (BJP)ના આગેવાન અને બગસરા APMCના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયાએ આમ આદમીનો ખેસ પહેર્યો છે. દીલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલના હાથે તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે.

કાંતિ સતાસીયા એ વર્ષોથી ભાજપના નેતા છે. ત્યારે હાલ અચાનક જ કાંતિ સતાસીયાએ કેસરીયો ઉતારીને આપ પાર્ટીમાં જોડાતા બગસરાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે, દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાડના નજીકના ગણાતા કાંતિ સતાસીયા આમ આદમી પાર્ટીમાં જોડાતા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ફટકો લાગ્યો છે. તો બીજી તરફ ધારી વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના સબળ ઉમેદવાર તરીકે કાંતિ સતાસીયા મેદાનમાં ઉતરી શકે છે.

નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી આ વખતે ભાજપને જોરદાર ટક્કર આપતી નજરે ચડી રહી છે. ત્યારે આ દરમિયાન ઘણા રાજકીય વિશ્લેષકો તો એમ પણ કહી રહ્યાં છે કે, ભાજપની આ વખતે કોંગ્રેસ સાથે નહીં પણ આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર થઇ રહી છે, જોકે એ તો આવનાર સમય જ બતાવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *