સાસુના લફરાથી કંટાળી અમદાવાદની પરણીતાએ ટુકાવ્યું જીવન, સુસાઇડ નોટમાં કર્યો મોટો ઘટસ્ફોટ

આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. તેમાં પણ ઘર કંકાસને કારણે આપઘાતના બનાવો અવાર નવાર સામે આવતા રહે છે. પરંતુ હાલ અમદાવાદ (Ahmedabad)માંથી…

આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. તેમાં પણ ઘર કંકાસને કારણે આપઘાતના બનાવો અવાર નવાર સામે આવતા રહે છે. પરંતુ હાલ અમદાવાદ (Ahmedabad)માંથી આપઘાતની એક ચોકાવનારી ઘટના સામે આવી છે. યુવતીએ આપઘાત કરતાં પહેલાં પતિના નામે સુસાઈડ નોટ પણ લખી છે. આમ તો પતિ કે પત્નીને કદાચ અનૈતિક સંબંધો હોય અને કોઈ આપઘાત કરે તે અલગ વાત છે પરંતુ સાસુના આડા સંબંધો ને કારણે વહુએ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, મૂળ દહેગામની યુવતીએ અમદુપુરામાં યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરીમાં તેને સારી રીતે રાખવામા આવતી હતી, પરંતુ છેલ્લાં એક મહિનાથી તેના સાસુને ભુપેન્દ્ર નામનાં યુવક સાથે આડાસંબંધ હોવાથી તે યુવતીના ઘરે અવરજવર કરતો હતો. જેથી તેણે સાસુને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાસુ ન માનતા પતિને જાણ કરી હતી.

સાસુની આ કાળી કરતુત વિશે પુત્રવધુએ તેના પતિને પણ જાણ કરી હતી. જેના કારણે દિકરો નોકરી પર જાય ત્યારે સાસુ યુવતી સાથે બોલાચાલી કરી હેરાન કરતી હતી. યુવતીના પતિએ માતાના મિત્રને પણ ઠપકો આપ્યો હતો, પરંતુ સાસુ તેની સાથે દરરોજ ઝઘડો કરી ત્રાસ આપતા હતા અને સસરાને પુત્રવધુ વિરુધ્ધ ચઢામણી કરી તેને હેરાન કરાતી હોવાનું જણાવતા.

આ દરમિયાન 14મી ઓક્ટોબરના રોજ અંજનાએ સવારે 9 વાગે ભાઈને ફોન કરી સાસરીમાં સાસુ-સસરા હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હોવાથી તે કંટાળી ગઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અંતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે પોલીસને ઘરમાંથી સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં પતિને સંબોધીને લખવામાં આવ્યું છે. અંજનાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. જેને લઈને યુવતીના ભાઈ દ્વારા પોલીસ મથકે બહેનના સાસુ અને સસરા સામે આપ્ઘત્ર દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *