સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: C.R.પાટીલે નરેશ પટેલ સાથે કરી મુલાકાત – કેસરીયા કરશે નરેશ પટેલ?

ગુજરાત(gujarat): ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)ની રાજકારણમાં એન્ટ્રીને લઇને ભારે અટકળો ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)ને લઇને આગામી સમયમાં નરેશ પટેલની રાજકારણ(Politics)માં…

ગુજરાત(gujarat): ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)ની રાજકારણમાં એન્ટ્રીને લઇને ભારે અટકળો ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)ને લઇને આગામી સમયમાં નરેશ પટેલની રાજકારણ(Politics)માં એન્ટ્રીની ચર્ચાઓ ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે પરંતુ ક્યારે રાજકારણમાં જોડાશે અને કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હજુ સસ્પેન્સ જ રહેલું છે.

જોવામાં આવે તો નરેશ પટેલ દ્વારા રાજકારણમાં પ્રવેશને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે આજરોજ CR પાટીલ(CR Patil)ની નરેશ પટેલ સાથે મુલાકાત થઇ છે. આ પહેલા પણ ભાજપના ચાર ધારાસભ્ય નરેશ પટેલને મળી ચૂકયા છે. તથા જામનગરના કાર્યક્રમમાં CR પાટીલ અને નરેશ પટેલની મુલાકાત થઇ છે. જેમાં પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર સાથે જ જોવા મળ્યા છે.

પાટીલ અને નરેશ પટેલની મુલાકાત દરમ્યાન નરેશ પટેલ કેસરીયા કરશે તેવી વાતોએ જોર પકડયું છે. નરેશ પટેલે જણાવ્યું કે, કઈ રાજકીય પાર્ટીમાં મારે જોડાવું એ નિર્ણય સમય આવ્યે જ જણાવીશ. આજે પાટીલ સાહેબ ઉપસ્થિત  રહેવાના હતા તેથી મને પણ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું આમંત્રણને ધ્યાનમાં રાખીને હું આવ્યો છું. આમે આજે જાહેર કાર્યક્રમમાં મળ્યા છીએ અમોએ કોઈ મિટિંગ કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *