લંડનથી આવેલા થોમસ, શતાબ્દી મહોત્સવમાં કરે છે સેવા- કુટેવો, વ્યસન છોડીને બન્યા સ્વામિનારાયણના સત્સંગી

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિશ્વભરમાંથી સ્વયંસેવકો સેવા માટે ઉમટી રહ્યા છે, તો સાથે દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં અમદાવાદ(Ahmedabad) ખાતે દર્શને પધારી રહ્યા છે. ત્યારે આ દરમિયાન એક એવા સ્વયં સેવકની વાત ધ્યાને લેવા જેવી છે. થોમસ અવાડ નામના ઈંગ્લીશ યુવક કે જેઓએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે. થોમસ ઇંગ્લેન્ડ(England)થી ભારત આવેલા છે. થોમસ ઇંગ્લેન્ડની પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટી(University of Cambridge)ના વિદ્યાર્થી છે. પોતે 2017 થી BAPS સ્વામિનારાયણ સંસ્થાના સત્સંગી છે. ઇન્ટરનેશનલ રિસેપ્શન સેન્ટરમાં સેવા આપી રહ્યા છે.

થોમસની વાત કરવામાં આવે તો આઠ વર્ષના હતા, ત્યારે પ્રથમ વખત તેમના શાળા અભ્યાસ દરમિયાન રામાયણ અને મહાભારત તેમજ હિંદુઈઝમ વિશે માહિતી મેળવીને પ્રભાવિત થયા હતા. 11 વર્ષની ઉંમરે તેઓએ લંડન BAPS મંદિરમાં પ્રથમ વખત દર્શન કરતાની સાથે જ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે આકર્ષિત થયા હતા. ત્યારથી 2012થી હિન્દુ ધર્મનો અભ્યાસ અને માહિતી મેળવીને સતત ગ્રંથોનું વાંચન કર્યું અને 2017 માં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી બન્યા.

2017 થી તેઓ તમામ વ્યસનો અને કુટેવો છોડી દીધી અને સત્સંગી થઇ ગયા. પ્રમુખસ્વામી મહારાજથી પ્રભાવિત થઈને તેઓએ વર્તમાન દીક્ષા પણ લીધી છે અને હાલમાં તેઓ ભારત આવીને શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાયા છે. થોમસ અને આઠ ભાષાનું જ્ઞાન ધરાવે છે. થોમસને અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, ફ્રેંચ, અરબી, જર્મન, સ્પેનિશ ભાષાનું જ્ઞાન છે. તેઓ દરરોજ પૂજા અને વચનામૃતનું વાંચન કરે છે.

જો વાત કરવામાં આવે તો વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *