એકસાથે ત્રણ યુવકોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢ્યું- જાણો ક્યાંની છે આ ગમગીન ઘટના

આજકાલ હત્યા તેમજ આત્મહત્યાના સામે આવતા કેસો દરમિયાન એવા પણ કેસો સામે આવતા હોય છે જેમાં નદીમાં નાહવા પડેલા લોકોના પણ ડૂબી જતા મોત નીપજતા હોય છે. એવામાં ફરીવાર રાજકોટ જિલ્લાના જેતપુરના જોડિયા હનુમાન પાસેથી ભાદર નદીના નારપાટમાંથી ત્રણ લાશ મળી આવી છે.

અહી પહેલા એક લાશ મળી આવી હતી. આ લાશ મળ્યા બાદ પોલીસે શોધખોળ શરુ કરી હતી. જેમાં વધુ બે લાશ મળી આવી હતી. આમ કુલ ત્રણ મિત્રના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, જેતપુરના જોડિયા હનુમાન નજીક ભાદર નદીના નારપાટમાં સાંજે એક તરતી લાશ મળી આવી હતી.

આ અંગે પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આ મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર જવાનો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન વધુ બે મૃતદેહ પણ મળી આવ્યા હતા. આ અંગે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ત્રણ મિત્રો ન્હાવા પડ્યા હતા.

જેમાંથી એક ડૂબી જતા બીજા બન્ને તેને બચાવવા જતા ડૂબી ગયા છે. આ રીતે ત્રણેયના મોત થયા છે. ત્રણેય મૃતદેહને કબજે લઈ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે જેતપુર સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. હાલ તો આ યુવકો કોણ છે અને ક્યાંથી આવ્યા હતા તેની કોઈ માહિતી મળી નથી. જેથી પોલીસ દ્વારા પણ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *