મધરાતે ખેલાયો જીવન-મરણનો ખેલ: શિકારની શોધમાં નીકળેલા સિંહોએ ગામની શેરીઓમાં 6 પશુનો કર્યો શિકાર

અમરેલી (Amreli)જિલ્લાનાં જંગલથી નજીકના ગામડાની શેરીઓમાં ત્રણ સિંહ(lion)ના આંટાફેરા મારતાનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ (Viral)થઇ રહ્યો છે. આ સિંહ સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામમાં…

અમરેલી (Amreli)જિલ્લાનાં જંગલથી નજીકના ગામડાની શેરીઓમાં ત્રણ સિંહ(lion)ના આંટાફેરા મારતાનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ (Viral)થઇ રહ્યો છે. આ સિંહ સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામમાં ગત રાત્રિ દરમિયાન ઘૂસી આવ્યા હતા. આ ત્રણ સિંહે 6 પશુનો શિકાર કરી લીધો હતો આ જોઇને ગામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જયારે ગામમાં ઘૂસીને સિંહે કરેલા શિકારના લાઈવ દૃશ્યો CCTVમાં કેદ થઇ ગયા હતા. જે દૃશ્યો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઇ રહ્યા છે.

મધરાત્રીએ જોવા મળ્યો જીવન-મરણનો ખેલ: 
વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે, તેમાં એક પશુ ત્રણ સિંહનો સામનો કરતુ જોવા મળી રહ્યું છે. જયારે આ પશુ સિંહથી દૂર ભાગવાનો પ્રયાસ કરે છે તો સિંહ એક તરાપ મારી આ પશુનો શિકાર કરે છે.

શિકારની શોધમાં સિંહ પહોંચ્યા ગ્રામ્ય વિસ્તારોમાં:
અમરેલી જિલ્લાનાં જંગલથી નજીકના ગામડાની શેરીઓમાં સિંહના આંટાફેરા સામાન્ય બની ગયા છે. જયારે આ સિહો ખોરાક અને પાણીની શોધમાં સિંહો ગામડાની શેરીઓમાં આવી પહોંચ્યા હતા. શેરીઓમાં આવેલ આ ત્રણ સિંહે 6 પશુનો શિકાર કરી લીધો હતો આ જોઇને ગામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગામડાઓમાં આવી રહેલા સિંહને દૂર રાખે એવી ગામલોકો દ્વારા વન વિભાગને વિનંતી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *