બનાસકાંઠામાં બે ટ્રક વચ્ચેની ભયંકર અથડામણમાં ત્રણ વ્યક્તિ અને 20થી વધુ ઘેટાં મોતને ભેટ્યાં – ‘ઓમ શાંતિ’

બનાસકાંઠા(Banaskantha): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. એવામાં બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના…

બનાસકાંઠા(Banaskantha): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. એવામાં બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. આ સાથે જ અકસ્માતમાં 20થી વધારે ઘેટાંના પણ મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર, આ બનાવ પાલનપુરના એસબીપુરા પાટીયા નજીક બન્યો છે. અહીં બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતના દ્રશ્યો જોઈને ભલભલા લોકો કંપી ઉઠે. મળતી માહિતી પ્રમાણે પાલનપુરના એસબીપુરા પાટીયા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ત્રણ વ્યક્તિ અને એક ટ્રકમાં ભરેલા 20થી વધારે ઘેટાંના મૃત્યુ થયા છે.

જાણવા મળ્યું છે કે, રાજસ્થાનથી ઘેટાં-બકરાં ભરી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકે આગળની ટ્રકને ટક્કર મારતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘેટાં-બકરાં ભરેલી ટ્રકની આગળની ટ્રક સાથે ટક્કર બાદ ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિનાં મોત થયા હતા. આ સાથે જ ટ્રકની અંદર ભરેલા 20થી વધારે ઘેટાં-બકરાં પર મૃત્યુ પામ્યા હતા. બનાવની જાણ થયા બાદ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી કરીને મૃતકના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે પાલનપુર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *