રાજ્યમાં ગુંડાગીરી કરનારા લુખ્ખાતત્વો માટે બન્યો કાયદો- જો ઝડપાયા તો છોડવું પડશે રાજ્ય

હાલમાં સમગ્ર રાજ્યમાં થતાં ગુનાઓનું પ્રમાણ સતત વધતું જ જઈ રહ્યું છે. રુપાણી સરકાર દ્વારા ખેડૂતોને તેમજ પ્રજાને ફાયદો આપતી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. હાલમાં સતત વધતી જતી ગુંડાખોરીને ધ્યાનમાં લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

રાજયમાં ગુંડાગીરી કરવી એ હવે અસામાજિક તત્વોને ખુબ જ ભારે પડી શકે છે. રૂપાણી સરકાર એક અલગથી જ એની માટે કાયદો બનાવવાં માટે જઈ રહી છે. CM વિજય રૂપાણી એમની કેબિનેટની મીટીંગમાં ગુંડા વિરોધી એક્ટનો પ્રસ્તાવ લાવવામાં આવશે.

‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ’ ઍક્ટમાં કોઈપણ વ્યક્તિ ગુંડાગીરી કરતો ઝડપાશે તો એની તમામ મિલકતને જપ્ત કરી લેવામાં આવશે. આટલું જ નહીં પણ ગુંડાગીરી કરનારને કુલ 10 વર્ષની સખત કેદની જોગવાઈ પણ કરવામાં આવેલી છે.

ગુંડાઓ વિરુદ્ધનાં કેસ ચલાવવાં માટે સ્પેશિયલ કોર્ટની પણ રચના કરવામાં આવશે. ગુનાની નોંધ થતાં પહેલા જ રેન્જ IG તેમજ કમિશનરની પરવાનગી જરૂરી હોવાનું આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. સાક્ષીઓને પુરતું રક્ષણ પણ આપવામાં આવશે.

આ મામલે CM રુપાણીએ ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે, કે આવનાર દિવસોમાં ગુંડા ગર્દીને છોડવી જ પડશે અથવા તો ગુજરાતને પણ છોડવું પડશે. ત્યારે રાજ્યમાં હવે ગુંડાગર્દી કરનારની ખેર નથી. કારણ કે હવેથી ગુંડાગર્દી કરનાર પર કાયેદસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ એમની તમામ મિલકત પણ ટાંચમાં લઈ શકાશે.

આ ઓર્ડિનન્સની મહત્વપૂર્ણ જોગવાઇઓ:

ગુંડાગીરી કરનાર તત્વોને કુલ 10 વર્ષ સુધીની સખત કેદ તથા કુલ 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

ગુંડાઓ વિરુદ્ધનાં કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી તથા સજાની માટે સ્પેશીયલ કોર્ટની રચના કરવામાં આવશે.

ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલ મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે.

સાક્ષીઓને પુરતું રક્ષણ આપીને નામ-સરનામા પણ ગુપ્ત રાખવામાં આવશે.

ગૂનાની નોંધણી થતાં પહેલા જ સંબંધિત રેન્જ IG અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક છે.

દારૂનો વેપાર, જુગાર, ગાયોનું કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદેસર કૃત્યો આચરવા તેમજ ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરવામાં આવશે.

પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારીને મહત્વપૂર્ણ સુધારાનાં વટહુકમ દરખાસ્તની સાથે શાંત, સલામત, સુરક્ષિત, સમૃદ્ધ રાજ્યનાં નિર્માણમાં વધારે એક નક્કર કદમની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા છે.

રાજ્યની વિકાસયાત્રામાં અવરોધ થનાર જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનાર, હિંસા, ધાકધમકી, બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનાર ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવાં માટે CM રુપાણીએ નિશ્ચય કર્યો છે.

ગુંડાઓ, જમીન કૌભાંડકારો, ભ્રષ્ટ કર્મચારીઓ તેમજ ગૌવંશના હત્યારાને કાયદાનાં કડક અમલીકરણથી નશ્યત નાબૂદ કરવાનો CM રૂપાણીનો નક્કર અભિગમ રહેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *