એક સમયે રોડ ઉપર સમાન વેચતો હતો અને આજે બની ગયો બોલીવુડનો પ્રખ્યાત અભિનેતા- જાણો સફળતાની સફળ કહાની

બોલિવૂડને ગ્લેમર વર્લ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે તમે જે કલાકારોને પડદા પર જુઓ છો આમાંના ઘણા એવા કલાકારો છે જેમણે શરૂઆતના દિવસોમાં ખૂબ…

બોલિવૂડને ગ્લેમર વર્લ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે તમે જે કલાકારોને પડદા પર જુઓ છો આમાંના ઘણા એવા કલાકારો છે જેમણે શરૂઆતના દિવસોમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આજે તમને બોલિવૂડના એક પ્રખ્યાત અભિનેતા વિશે જણાવી રહ્યા છીએ, જેનું શરૂઆતનું જીવન સંઘર્ષથી ભરેલું હતું.

સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ આજે અમે તમને જે અભિનેતા વિશે કહેવા જઈ રહ્યા છીએ, તે રસ્તાઓ પર સામાન વેચતો હતો. તમને મુન્ના ભાઈ એમબીબીએસનો સર્કિટ તો યાદ હશે, અમે બોલિવૂડના જાણીતા અભિનેતા અરશદ વારસી વિશે વાત કરી રહ્યા છીએ. અરશદ વારસી તેના સારી કોમિક ટાઇમિંગ માટે જાણીતા છે. તેમણે બોલિવૂડની ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે.

પરંતુ તેમણે મુન્ના ભાઈ એમ.બી.બી.એસ.માં તેમની સર્કિટ ભૂમિકાને કારણે સૌથી વધુ પ્રખ્યાત થયા હતા. તમને જણાવી દઈએ કે,  જીવન વિતાવવા માટે રસ્તાઓ પર ફરીને સામાન વેચતા અરશદ વારસીનો જન્મ 19 એપ્રિલ 1968 ના રોજ મુંબઇમાં થયો હતો. એક સમય હતો જ્યારે તેણે પોતાનું જીવન જીવવા માટે નાના કામ કરવા પડ્યા હતા, પરંતુ આજે તેમના લાખો ચાહકો છે.

બોલિવૂડ ફિલ્મ ‘સંજુ’ રિલીઝ થઈ ત્યારબાદથી રાજકુમાર હિરાની નવી કઈ ફિલ્મની જાહેરાત કરે છે, તેને લઈ ચાહકો રાહ જોઈ રહ્યાં છે, તેમાં પણ ‘મુન્નાભાઈ’ સીરિઝની ત્રીજી ફિલ્મ આવે તેમ ચાહકો ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે, આ સીરિઝમાં સંજય દત્ત તથા અરશદ વારસીએ લીડ રોલ પ્લે કર્યો હતો. આ સીરિઝની ત્રીજી ફિલ્મ ક્યારે બનશે તે નક્કી નથી પરંતુ સંજય દત્ત તથા અરશદ સાથે કામ કરી રહ્યાં છે.

અરશદ વારસીએ વાતચીતમાં કહ્યું હતું કે, તે અને સંજુ આવતા વર્ષે એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ ક્રેઝી સ્ક્રિપ્ટ છે અને આ ફિલ્મ સાજીદ-ફરહાદની છે. ફિલ્મ આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં રિલીજ થશે. ફિલ્મનું ફર્સ્ટ શિડ્યૂઅલ બુડાપેસ્ટમાં હશે. ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી.

અરશદે ફિલ્મના રોલ અંગે કહ્યું હતું કે, સંજય અંધ ડોનના રોલમાં છે અને તે સંજયનો ખાસ માણસ છે. જોકે, કોઈને પણ ખ્યાલ નથી કે સંજય દત્ત અંધ છે અને તે પણ કોઈને આ વાત કહેતો નથી. ફિલ્મમાં તે સતત સંજયને દિશા-નિર્દેશો આપતો રહે છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી જ કોમેડી છે

સંજય દત્ત તથા અરશદ વારસી છેલ્લે વર્ષ 2013મા ‘ઝિલા ગાઝિયાબાદ’માં સાથે જોવા મળ્યાં હતાં. સંજય દત્તની આગામી ફિલ્મ ‘પાનીપત’નું હાલમાં જ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.  આ ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. ફિલ્મમાં સંજય દત્તે અહેમદ શાહનો રોલ પ્લે કર્યો છે, જ્યારે અર્જુન કપૂરે સદાશીવ રાવ તથા ક્રિતિ સેનને પાર્વર્તી બાઈનો રોલ ભજવ્યો છે. ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *