આજે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ : તમે એમના વિષે આ વાત નહિ જાણતા હોવ…

આજે અમે તમને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, વિશ્વનો દરેક વ્યક્તિ નરેન્દ્ર મોદીને જાણે છે. આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદીએ…

આજે અમે તમને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, વિશ્વનો દરેક વ્યક્તિ નરેન્દ્ર મોદીને જાણે છે. આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનની ખુરશી પર બેસતા પહેલા જ પત્નીને છોડી દીધી હતી, આ બાબત દરેકને ખબર છે, પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, એવું શું કર્યું હતું જેના કારણે નરેન્દ્ર મોદીએ પોતાની પત્ની નો ત્યાગ કરી દીધો. ચાલો જાણીએ.

નરેન્દ્ર મોદીના 17 વર્ષની ઉંમરે જ લગ્ન થઈ ગયા હતા. જે છોકરી સાથે નરેન્દ્ર મોદીના લગ્ન થયા હતા તેમનું નામ જશોદાબેન હતું. નરેન્દ્ર મોદી સાથે, જ્યારે તેણીના લગ્ન થયાં હતાં ત્યારે નરેન્દ્ર મોદીની પત્ની 15 વર્ષની હતી અને તે સમયે અભ્યાસને વધારે મહત્વ આપવામાં આવ્યું ન હતું.

અને નાની ઉંમરે જ તેમના લગ્ન થયાં હતાં અને છોકરીએ ઘરની સંભાળ લેવાનું શરૂ કર્યું હતું. આવી સ્થિતિમાં, જ્યારે નરેન્દ્ર મોદીના લગ્ન થયાં હતાં, ત્યારે મોદીજી અને તેમની પત્ની સગીર હતા.તેમની ધર્મપત્ની સાથેના લગ્નના 3 વર્ષ પછી, નરેન્દ્ર મોદીજીએ તેમની ધર્મપત્ની નો ત્યાગ કર્યો હતો.

તે પછી તેઓ દેશની સેવામાં વ્યસ્ત થઈ ગયા, ત્યારબાદ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો. જો કે મોદીએ જશોદાબેનને ક્યારેય છૂટાછેડા આપ્યા નથી. નરેન્દ્ર મોદી ત્રણ વર્ષના ગૃહસ્થ જીવન પછી પત્ની જશોદાબેનને છોડીને સંઘની સાથે ગયા ત્યારે જશોદા પહેલા થોડી ઉદાસી હતી પણ પછી પતિના લક્ષ્યથી સંતુષ્ટ થઈ. તેણે પણ શાળા માં શિક્ષકની નોકરી શરૂ કરી અને નાના ભાઈ અશોક સાથે જુન્ઝા ગામમાં રહેવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *