મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરનાર TRB સાજન ભરવાડ સાથે કોર્ટમાં થયું ન થવાનું- અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ

સુરત(Surat): મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર જીવલેણ હુમલા અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરનાર…

સુરત(Surat): મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર જીવલેણ હુમલા અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરનાર સાજન ભરવાડ(Sajan bharwad)ને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, સાજન ભરવાડને પહેલા બપોરે બે વાગ્યા પછી કોર્ટમાં રજુ કરવાનો હતો. પરંતુ સવારમાં જ તેને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.

જાણો શા માટે બપોરના બદલે સવારે સાજન ભરવાડને કોર્ટમાં રજુ કરાયો:
આરોપી સાજન ભરવાડને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. પરિસ્થિતિને જોતા કોર્ટમાં કોઈ પણ પ્રકારનું છમકલું કે અન્ય કોઈ સ્થિતિ ન સર્જાય તે માટે સાજન ભરવાડને કોર્ટમાં વહેલો રજુ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સવારે 9 વાગ્યે જ સાજન ભરવાડને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.

સાજન ભરવાડ જેલ કસ્ટડીમાં:
હાલમાં તો કોર્ટે સાજન ભરવાડને જેલ કસ્ટડીમાં મોકલી દીધો છે. ઉલ્લેખનીય છે કે, સાજન ભરવાડ પર 307ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જાણો શું હતી સમગ્ર ઘટના?
એડવોકેટ મેહુલ બોઘરાને બાતમી મળી હતી કે, આ જગ્યા પર પોલીસના મળતિયાઓ દ્વારા વાહન ચાલકો પાસેથી કટકી, તોડ-પાણી કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મેહુલ બોઘરા સ્થળે પહોંચી ગયા હતા અને એક રીક્ષાની નજીક જઈ રહ્યા હતા ત્યારે તેના પર એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર આક્ષેપો કરતા એડવોકેટ મેહુલ બોઘરા કહ્યું છે કે, પોલીસના મળતિયાઓ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અનેક વાર મેહુલ બોઘરાને ધમકીઓ આપવામાં આવી હતી.

મેહુલ બોઘરા પર થયેલા હુમલા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, અને રાતના સમયે પોલીસ સ્ટેશનમાં સેકંડોની ભીડમાં આરોપી સાજન ભરવાડ સામે ફરિયાદ લેવાની ઉગ્ર માંગ કરી હતી. ઉગ્ર માંગ જોઈ પોલીસે પણ ફરિયાદ લઇ આરોપી વિરુદ્ધ કલમ આઇપીસી ૩૦૭ નોંધી ગુનો ફરિયાદ નોંધી હતી.

રાજકારણમાં જોડાવાને લઈને મેહુલ બોઘરાએ જાણો શું કહ્યું?
વકીલ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું છે કે, મેહુલ બોઘરા રાજકારણમાં તો આવશે એ 100 ટકા છે. મને ખોટું બોલતા આવડતું નથી. રાજકારણી તો બનવાનો છું પણ આવો નથી બનવાનો જે હાલમાં લોકો હોય છે. ઉમેરતા કહ્યું છે કે, જેનામાં આત્મવિશ્વાસ નથી, જેને ખાલી બોલ બચ્ચન કરવા છે એવા બધા રાજકારણમાં આવીને બની બેઠા છે, તો મારા માં તો જુસ્સો છે, દેશ માટે કઈ કરવાની ભાવના છે, રાષ્ટ્રપ્રેમ છે તો હું રાજકારણમાં કેમ ના આવું? પરંતુ આગામી સમયમાં જે ઈલેક્શનો આવવાના છે તેના માટે હાલ મારી કોઈ તૈયારી નથી.

રાજકારણમાં કોઈ પાર્ટી નક્કી ના હોય કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી. મેહુલ બોઘરા પોતાની પાર્ટી પણ બનાવે, અપક્ષમાં પણ લડે એ કોઈ વસ્તુ હાલ માં છે નહી, આ બધા ભવિષ્યના પ્લાનિંગ છે. ભવિષ્યમાં લોકોનું સમર્થન હશે, લોકચાહના હશે ત્યારે મેહુલ બોઘરા ચોક્કસ રાજકારણમાં આવશે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટીમાં જોડાવવાની અત્યારે કોઈ સંભાવના નથી અને ભવિષ્યમાં પણ મને એવું લાગતું નથી. તમામ પાર્ટીઓનો પોલીટીકલ સપોર્ટ હોય છે. રાજકારણમાં ત્રણ પાર્ટીઓ જ છે તેવું નથી, અલગ પાર્ટી પણ બને, અપક્ષમાંથી પણ લડાઈ, પરંતુ લોકચાહના હશે તે પ્રમાણે મોહુલ બોઘરા આગળ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *