આદિપુરૂષ વિવાદ વચ્ચે ફરીથી ટેલિકાસ્ટ કરાશે રામાનંદ સાગરની ‘રામાયણ’ -જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રામાયણ

Ramayan Re-Telecast: રામાનંદ સાગરનો પોપ્યુલર શો ‘રામાયણ’ 1987માં આવેલી સૌથી હિટ સીરિયલ હતી. આ શોએ દર્શકોના દિલ પર એવી પોતાની છાપ છોડી હતી કે તે(Ramayan…

Ramayan Re-Telecast: રામાનંદ સાગરનો પોપ્યુલર શો ‘રામાયણ’ 1987માં આવેલી સૌથી હિટ સીરિયલ હતી. આ શોએ દર્શકોના દિલ પર એવી પોતાની છાપ છોડી હતી કે તે(Ramayan Re-Telecast) અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને અસલી રામ-સીતા સમજવા પણ લાગ્યા હતા.

વર્ષો બાદ પણ લોકો રામાનંદ સાગરના આ શોને એટલા જ શોખથી લોકો જુએ છે. વર્ષ 2020માં કોરોના મહામારી વખતે લાગેલા લોકડાઉનમાં આ શોને ફરી ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ત્રીજી વખત પર શોને ટીવી પર ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. મેકર્સ પૌરાણિક શોને શેમારૂ ટીવી પર ટેલિકાસ્ટ કરશે.

ક્યારે શરૂ થશે રામાયણનું ટેલિકાસ્ટ
રામાનંદ સાગરના ડાયરેક્શનમાં બનેલી રામાયણને તમે તારીખ 3 જુલાઈ 2023થી આ સોં તમે તમારા ટીવી પર જોઈ શકો છો. તમે તેને સોમવારથી શનિવાર સુધી સાંજે 7 વાગ્યે જોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *