બે બસ વચ્ચે ધડામ કરતી ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત- એક સાથે 80થી વધુ પ્રવાસીઓ…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના છતરપુર(Chhatarpur)માં એક મોટી દુર્ઘટના જોવા મળી છે. અહીં શનિવારે બે બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માત(Accident)માં 80થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત છતરપુરના ગુલગંજ પોલીસ સ્ટેશનમાં થયો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, છતરપુરથી બદમલ્હાર જઈ રહેલી બસ ગુલગંજમાં સવારી ભરી રહી હતી. તે દરમિયાન પાછળથી આવતી બસે તેને જોરદાર ટક્કર મારી હતી. પાછળની બસની ટક્કર બાદ તે ઉડી ગઈ હતી. અને બીજી બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માત થયો ત્યારે બંને બસમાં મોટી સંખ્યામાં મુસાફરો હાજર હતા. આ ઘટનામાં કુલ 80 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 25 લોકો ગંભીર રીતે ઘાયલ છે.

અકસ્માત બાદ તરત જ આસપાસના લોકોએ ગુલગંજ પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને પેટા આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. અહીંથી ગંભીર રીતે ઘાયલ થયેલા તમામને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પાછળથી આવી રહેલી બસ ખૂબ જ ઝડપી હતી અને તેના ડ્રાઇવરની ભૂલને કારણે આ અકસ્માત થયો હતો.

ગયા અઠવાડિયે પણ અકસ્માત થયો હતો:
ગયા અઠવાડિયે મધ્યપ્રદેશના છતરપુરમાં પણ એક મોટી દુર્ઘટના જોવા મળી હતી. આ દરમિયાન સાંજે સાત વાગ્યે ઝાંસી-ખજુરાહો ફોર લેન પર ગાયને બચાવવા માટે એક બસ કાબૂ બહાર ગઈ હતી. આ દરમિયાન બસ રોડ કિનારે ઢાબા પર પાર્ક કરેલી વાન સાથે અથડાઈ હતી. વાનમાં બેઠેલા બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ બંને રેવન્યુ ઓફિસરની પરીક્ષા આપીને આગ્રાથી પરત ફરી રહ્યા હતા. સાથે જ આ અકસ્માતમાં ગાયનું પણ મોત થયું હતું. તે જ સમયે, આ અથડામણમાં વાન ઉડી ગઈ હતી. ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર નૌગાંવમાં લઈ જવામાં આવ્યા હતા. તે જ સમયે, આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *