મહાશિવરાત્રી પર હરિદ્વાર જઈ રહેલા ચાર મિત્રને નડ્યો ગમખ્વાર અકસ્માત- બેના કરુણ મોત

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં મુઝફ્ફરનગર(Muzaffarnagar)ના પુરકાજી(Purkaji) બાયપાસ પર મોડી રાત્રે એક અજાણ્યા વાહને પાછળથી આવેલી I-20 કારને ટક્કર મારી હતી. આ અકસ્માત(Accident)માં કારમાં મુસાફરી કરી રહેલા ગાઝિયાબાદના ચાર મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ ઘાયલોને લઈને હોસ્પિટલ પહોંચી. ઈજાગ્રસ્તો પૈકી બેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું. ચાર મિત્રો હરિદ્વાર જઈ રહ્યા હતા.

ગાઝિયાબાદના શાહપુર રોડ મોર્ટાના રહેવાસી ગૌરવ (32), અનિકેત ત્યાગી (30), નવીન ત્યાગી (30), દુહાઈના રહેવાસી અને હરપાલ મંગળવારે મોડી રાત્રે કારમાં હરિદ્વાર જવા નીકળ્યા હતા. હરપાલ કાર ચલાવી રહ્યો હતો. પુરકાજી બાયપાસ પર હોટલ પાસે પાછળથી કોઈ અજાણ્યા ભારે વાહને કારને ટક્કર મારી હતી. દિલ્હી-દૂન હાઈવે પરથી પસાર થઈ રહેલા ડ્રાઈવરોએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

કારમાં ફસાયેલા ચારેય યુવાનોને નજીકના લોકોની મદદથી બહાર કાઢી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગૌરવ અને અનિકેતનું મૃત્યુ થયું છે. જ્યારે હરપાલ અને નવીન ઘાયલ છે. બંને ઘાયલોની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માત અંગે પરિવારજનોને જાણ કરી છે. જણાવવામાં આવ્યું છે કે ચારેય મિત્રો ગંગામાં સ્નાન કરવા માટે હરિદ્વાર જઈ રહ્યા હતા.

આ અકસ્માત દિલ્હી-દેહરાદૂન હાઈવે પર પુરકાજી બાયપાસ પર મોડી રાત્રે થયો હતો. ચારેય મિત્રો એવરેજ સ્પીડથી ચાલી રહ્યા હતા, પરંતુ તે દરમિયાન પાછળથી આવતા ભારે વાહને તેમની કારને ટક્કર મારી હતી. જેના કારણે હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી. આ પછી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ પોલીસને જાણ કરી હતી.

મિત્રો મહાશિવરાત્રી પર સ્નાન કરવા જતા હતા:
પોલીસનું કહેવું છે કે ઘાયલ યુવકોએ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચારેય ગાઝિયાબાદથી હરિદ્વાર ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *