એક ઓઢણીથી બે જિંદગીઓ તબાહ- સુરતમાં લીવ ઇનમાં રહેતા પ્રેમી પંખીડાંએ કર્યો આપઘાત

પ્રેમ (love)માં કોઈનો જીવ લેવો કે જીવ આપવો એ તો જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. સુરત(Surat) જિલ્લાના મહુવા(Mahuva) તાલુકાનાં પરિણીત અને લીવ-ઇન (Live-in)માં રહેતા પ્રેમી પંખીડાંએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

બંન્ને પ્રેમી પંખીડાઓ બે વર્ષથી સાથે રહેતા હતા:
મળતી માહિતી અનુસાર, વહેવલ ગામની પરિણીત 23 વર્ષીય યુવતી અને વલવાડા ગામનો 33 વર્ષીય પરિણીત યુવાન 2 વર્ષ પહેલાં પ્રેમ સંબંધમાં ભાગી ગયા હતા. મહુવા તાલુકાના વહેવલ ગામમાં રહેતી 23 વર્ષીય યુવતીએ અમદાવાદનાં યુવક સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના એક જ મહિનામાં જ યુવતી પરત ઘરે આવી ગઈ હતી. તો બીજી તરફ વલવાડા ગામે રહેતા 33 વર્ષીય પરિણીત યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંન્ને પ્રેમી પંખીડાં બે વર્ષ પહેલાં મહુવાથી ઘર પરિવાર છોડી ભાગી ગયા હતા.

મોત પાછળનું કારણ અકબંધ:
આ દરમિયાન ગતરોજ મોડી રાત્રે બન્નેએ કોઈક અગમ્ય કારણોસર વલવાડા ખાતે ઝાડ સાથે ઓઢણી બાંધી કોઈક અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું હતું. આજે વહેલી સવારે વલવાડા ગામે ગામતળ ફળિયામાં અંકોલાનાં ઝાડ ઉપર બન્નેની ઓઢણી પર લટકતી હાલતમાં મૃતદેહો મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *