ગુજરાતમાં કોરોના કરતા હત્યાના કેસ વધ્યા, આ વખતે તો શરુ ગાડીએ છરીના ઘા મારી-મારી કરી નાખી હત્યા

હાલ ભારતમાં હત્યાના કેસો દિવસે દિવસે વધી રહયા છે. તે દરમિયાન ભાવનગરમાં એવો કેસ આવ્યો છે જેમાં એક કડિયા કામ કરતા યુવાકની હત્યા કરવામાં આવી અને તેને તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ભાવનગરમાં રુવા ગામે રહેતા અને કડિયા કામ કરતા જીતેશભાઈ બીજલભાઈ ડાભી જેમને ઉંમર 28 વર્ષ હતી. તે આજે બપોરે 12 વાગ્યાની આસપાસ બાઈક લઈને બાલા હનુમાનજી મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા લોકો જીતેશને ગળા પર છરીના ઘા મારીને ભાગી ગયા હતા.

શહેરના એરપોર્ટ રોડ પર ચાલુ બાઇકે જ છરીના ઘા મારી યુવકની હત્યા કરી નાંખતા સમગ્ર શહેરમાં હોબાળો મચી ગયો છે. જિલ્લાના રૂવાગામના યુવકને બાઈક પર આવેલા અજાણ્યા લોકોએ ચાલું બાઇકે જ છરીના ઘા માર્યા હતા. જાણ થતા જ 108ને બોલાવી ઈજાગ્રસ્ત જીતેશને સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. અને લાશને પોસ્ટમોટર્મ માટે મોકલી આપી હતી. બનાવની જાણ થતા તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. અને લોકોની પુછપરછ સાથે હત્યારાને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યા થઈ હોવાનું કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે, તપાસ પછી સત્ય હકિકત સામે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *