રાજકોટમાં પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈક સવારોને ફંગોળ્યા – બંને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત

અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. અકસ્માતને કારણે કેટલાય નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ થતા હોય છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટ (Rajkot)માં એક…

અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. અકસ્માતને કારણે કેટલાય નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ થતા હોય છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટ (Rajkot)માં એક કારચાલકે બાઈક સવાર યુવકોને અડફેટે લેતા બે યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. પુરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારોને ઉડાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગોંડલ રોડ નજીક કારચાલક અકસ્માત સર્જીને ફરાર:
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત રાજકોટના ગોંડલ રોડ નજીક સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈક સવારોને ઉડાવ્યા હતા. જેને પગલે બંને બાઈક સવાર યુવકોના કરુણ મોત નીપજ્યા હતા. જોકે આ ઘટનાની જાણ થતા જ તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ આવી પહોંચી હતી. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

અકસ્માતને પગલે જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. તેમજ અકસ્માતના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પરંતુ પોલીસના આવ્યા બાદ તુરંત ટ્રાફિકને હળવો કરી દેવાયો હતો. સાથે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવાયા હતા. હાલ આ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ હાથ ધરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *