દેશ પ્રત્યે લોખંડી ભૂમિકા ભજવનાર સરદાર પટેલનો આજે 146મો જન્મદિવસ- જાણો સરદારનો ગૌરવવંતો ઈતિહાસ

આઝાદી પછી દેશને રાષ્ટ્રવાદના દોરામાં બાંધનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ની આજે 146મી જન્મજયંતિ(146th birth anniversary) છે. સરદાર પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day) તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં પ્રથમ વખત 2014માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર પટેલ આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ હતા. ચાલો જાણીએ રાષ્ટ્રીય એકતા દિવસ 2021ના અવસર પર સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે જોડાયેલી કેટલીક અસરદાર વાતો.

  1. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. લંડન ગયા બાદ તેમણે બેરિસ્ટરનો અભ્યાસ કર્યો અને પાછા આવીને અમદાવાદમાં કાયદાની વકાલત કરવા લાગ્યા. આ સમય દરમિયાન, જ્યારે સ્વતંત્રતા સંગ્રામ વેગ પકડી રહ્યો હતો, ત્યારે પટેલ પણ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થયા અને તેઓ ભારતની સ્વતંત્રતા ચળવળમાં જોડાયા.

2. સ્વતંત્રતા ચળવળમાં સરદાર પટેલનું પ્રથમ અને મોટું યોગદાન 1918માં ખેડા સંગ્રામમાં હતું. તેમણે 1928માં બારડોલી સત્યાગ્રહમાં ખેડૂત આંદોલનનું પણ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું.

3. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન હતા.

4. આઝાદી મળ્યા બાદ રજવાડાઓને એકીકૃત કરીને અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાનને ભૂલી શકાય તેમ નથી. તેમણે ભારતીય રાષ્ટ્ર બનાવવા માટે 562 નાના-મોટા રજવાડાઓને ભારતીય સંઘમાં ભેળવી દીધા.

5. મહાત્મા ગાંધીએ સરદાર પટેલને લોખંડી પુરુષનું બિરુદ આપ્યું હતું.

6. સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર (597 ફૂટ) ઊંચી લોખંડની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) ગુજરાતમાં નર્મદાના સરદાર સરોવર ડેમની સામે બાંધવામાં આવી હતી. આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તે 31 ઓક્ટોબર 2018 ના રોજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઊંચાઈ માત્ર 93 મીટર છે.

7. સરદાર પટેલનું વિઝન હતું કે, ભારતીય વહીવટી સેવાઓ દેશને એક રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે ભારતીય વહીવટી સેવાઓને મજબૂત કરવા પર ખૂબ ભાર મૂક્યો હતો. તેમણે સિવિલ સર્વિસને સ્ટીલ ફ્રેમ ગણાવી હતી.

8. બારડોલી સત્યાગ્રહ ચળવળની સફળતા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ આપ્યું.

9. કોઈપણ દેશનો આધાર તેની એકતા અને અખંડિતતામાં રહેલો છે અને સરદાર પટેલ દેશની એકતાના શિલ્પી હતા. તેથી જ તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

10. સરદાર પટેલનું નિધન 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઈમાં થયું હતું. સરદાર પટેલને 1991માં મરણોત્તર ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *