મહાશિવરાત્રિ પર ભક્તો માટે આવી ખુશખબર, આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ- જાણો ક્યાં દિવસે પાલખી થશે રવાના

Kedarnath Opening Date: આજે એટલે કે શુક્રવારે મહાશિવરાત્રી છે અને આ અવસર પર ઉત્તરાખંડના પ્રસિદ્ધ મંદિર કેદારનાથના દરવાજા ક્યારે ખુલશે તે નક્કી થઈ ગયું છે. મળતી માહિતી મુજબ કેદારનાથના દ્વાર (Kedarnath Opening Date) 10 મેના રોજ ખુલશે. તમને જણાવી દઈએ કે કેદારનાથ મંદિરના દ્વાર ખોલવાની તારીખ શિવરાત્રીના દિવસે નક્કી કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ઉખીમઠ સ્થિત પંચ કેદારની શિયાળુ બેઠક ઓમકારેશ્વર મંદિરમાં પંચાગ ગણતરી બાદ તારીખની જાહેરાત કરવામાં આવી છે. કેદારનાથના દ્વાર 10 મેના રોજ સવારે 7 વાગે ખોલવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી રહી છે.

બાબા કેદારનાથ રાવલ અને અન્ય પૂજારીઓની હાજરીમાં શુભ મુહૂર્તની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બદરી કેદાર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજય પણ હાજર હતા. સમાચાર એજન્સી ANI અનુસાર, બદ્રીનાથ-કેદારનાથ મંદિરની સમિતિએ જણાવ્યું કે પંચમુખી ડોલી 6 મેના રોજ કેદારનાથ ધામ માટે રવાના થશે અને વિવિધ સ્ટોપ પરથી પસાર થયા બાદ 9 મેની સાંજે કેદારનાથ ધામ પહોંચશે.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયની હાજરીમાં ઉખીમઠના પચકદર ગદ્દી સ્થળ શ્રી ઓમકારેશ્વર મંદિરમાં આયોજિત ધાર્મિક સમારોહમાં આજે દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે.