ઘરે જવાની જીદ કરતા દર્દીને હોસ્પિટલમાંથી રજા ન આપતા ત્રીજા માળેથી કૂદીને કરી આત્મહત્યા

આત્મહત્યાના વધતા કેસો દરમિયાન વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લેતા હોબાળો મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હજી સુધી દર્દીની આત્મહત્યાનું કારણ ખુલ્યું નથી. જાણવા મળ્યું છે કે, બે દિવસથી દર્દી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે, મને રજા આપી દો. પરંતુ તબીબો રજા આપી ન હતા.

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કછાટા ગામના રતનભાઇ તડવીને બોડેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ત્યાંથી વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસ અને ટીબીની બીમારીથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે.

તેઓ બે દિવસથી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે, મને રજા આપી દો, પણ તબીબોએ રજા આપતા ન હતા. આ દરમિયાન આજે સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીજા માળ પરની નાની બારીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

હાલ ગોત્રી પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, મૃતક રતનભાઇ તડવી GEBમાં નોકરી કરતા હતા. તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં 8 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આજે વહેલી સવારે આઇસીયુના ત્રીજા માળ પરથી નીચે પટકાયા હતા. જોકે, આ અંગે નાનકડી બારીમાંથી નીચે કૂદીને કેવી રીતે આત્મહત્યા કરી શકે તેવા સવાલો પણ ઉભા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *