લોકોમાં જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ દિશાએ 14માં માળેથી છલાંગ મારી કરી આત્મહત્યા

બોલિવૂડ કલાકારોની મેનેજર તરીકે રહી ચુકેલી દિશા સલિયાને આત્મહત્યા કરી લેતા બોલિવૂડમાં નિરાશાજનક માહોલ જોવા મળી રહ્યો છે. દિશા સલિયાને સોમવારે રાત્રે મુંબઈની એક બિલ્ડિંગમાં…

બોલિવૂડ કલાકારોની મેનેજર તરીકે રહી ચુકેલી દિશા સલિયાને આત્મહત્યા કરી લેતા બોલિવૂડમાં નિરાશાજનક માહોલ જોવા મળી રહ્યો છે. દિશા સલિયાને સોમવારે રાત્રે મુંબઈની એક બિલ્ડિંગમાં 14મા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સલિયાણાએ સોમવારે રાત્રે મુંબઇની બહુમાળી બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી છે. અભિનેતા વરૂણ શર્માએ દિશાના મોત અંગે ટ્વીટ કર્યું છે.

અભિનેતા વરુણ શર્માએ પણ ટ્વીટ કરીને દિશાને શ્રદ્ધાંજલિ આપી હતી. વરૂણ શર્માએ દિશા સાથેની તસવીર શેર કરી અને લખ્યું, મારી પાસે શબ્દો નથી. હું સ્તબ્ધ થઈ ગયો છું. આ વાત બિલકુલ સાચી લાગતી નથી. કેટલી યાદો જોડાયેલી છે. એક ઉત્તમ વ્યક્તિ અને પ્રિય મિત્ર તને ક્યારેય ભૂલી નહી શકાય. ભગવાન તમરા પરિવારને આ મુશ્કેલ સમયમાં હિમ્મત આપે. હું હજુ માની શકતો નથી કે, તું આટલી જલ્દી આ રીતે વિદાઈ લઇશ.

દિશા ભારતી સિંહ, સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી અને વરુણ શર્મા જેવા કલાકારોની મેનેજર રહી ચૂકી હતી. દિશાએ પોતાની કારકિર્દીની શરૂઆત પબ્લિક રિલેશન મેનેજર તરીકે કરી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને આત્મહત્યા પાછળનું કારણ હજુ જણવા મળી રહ્યું નથી. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ઇન્સ્ટા સ્ટોરી પર દિશાને શ્રદ્ધાંજલિ આપી છે.

સુશાંત સિંહ રાજપૂતે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે કે, “આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે. દિશાના પરિવાર અને મિત્રો પ્રત્યેની મારી સંવેદના. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *